SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક શંકર જેવો કઈ રાગી નથી; જે સદા અર્ધનારીશ્વર રહ્યો. અને જિન જે કઈ રીતરાગી નથી. જે સંપૂર્ણપણે નારીસંગથી મુકત રહ્યો છે. બાકીના બધા તો વચ્ચે અટવાયા છે. નથી તેઓ પૂરા વિષયે ભેગવી શક્યા કે નથી તો તેના પૂર્ણ ત્યાગી બની શકયા.” આ સાંભળીને સિદ્ધરાજ ખૂબ પ્રસન્ન થા. તેણે દેવધિ પંડિતને એક લાખ સુવર્ણ મુદ્રાઓ આપવાનો નિર્ણય કર્યો. પણ જ્યારે પાછળથી સિદ્ધરાજે જાણ્યું કે દેવાધિ સુરાપાન (દારૂપાન) કરે છે ત્યારે તે ઈનામ આપવાનું મુલતવી રાખ્યું. કેટલાક સમય બાદ, દેવબોધિ સાવ દરિદ્ર બની ગયો. આ વાતની હેમચંદ્રસૂરિજીને ખબર પડી. તેમણે દેવાધિને બેલાવ્યો. તેને સિદ્ધરાજ પાસેથી ધન અપાવવા અંગે આશ્વાસન આપ્યું. અને જણાવ્યું કે: “પંડિતવર ! તમારી અસાધારણ વિદ્વત્તા પ્રત્યે મને અત્યંત આદર છે.” આ સાંભળીને દેવબોધિ મનથી સ્વસ્થ અને પ્રસન્ન બન્યો. એક સમય એવો હતો કે જ્યારે દેવબોધિ અને શ્રીપાળ જેવા પ્રખર પંડિતે પરસ્પર ઈર્ષાથી ઝઘડતા હતા, ત્યારે તે બે વરચે હેમચન્દ્રસૂરિજીએ પોતાની અત્યંત કુશળતાથી મૈત્રી પ્રસ્થાપિત કરાવી હતી. દેવાધિની આ વિષમ સ્થિતિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, lowwatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy