________________
૨૬ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
રાજ હાથી ઉપર આવી રહ્યા હતા, તેથી હેમચન્દ્રાચાર્યજી બાજુ ઉપર ઊભા રહ્યા.
આ બાજુ સિદ્ધરાજને કેઈએ જણાવ્યું કે : “આ સામે ઊભા છે તે પ્રખર જૈનાચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિજી છે.” તેથી તરત જ સિદ્ધરાજે સૂરીશ્વરને પ્રણામ કર્યા અને આશીર્વાદ આપવા જણાવ્યું.
ત્યારે સૂરિદેવ હેમચન્ટે કહ્યું : 'कारय प्रसरं सिद्ध ! हस्तिराजमशंकितम । अस्यन्तु दिग्गजाः कि तैर्भूत्वयैबोद्धता यतः ।।'
અર્થાત્ ઃ “હે રાજા સિદ્ધરાજ ! તમારા હસ્તિરાજન (હાથીને) નિઃશંક બનીને આગળ વધવા દો. તેનાથી દિગ્ગજોને ભયભીત થાય તે ભલે થાય. કારણ કે ભૂમિને ભાર તે હવે તમે જ વહન કરે છે. એથી એ દિગ્ગજોની પરવા હવે કેને છે?”
આ શ્લેક સાંભળીને સિદ્ધરાજ અત્યંત પુલ. કિત અને પ્રભાવિત થયા હતા. ત્યારે જ તેમણે પિતાની રાજસભામાં પધારવા માટે હેમચન્દ્રસૂરિજીને આમત્રણ આપ્યું.
ત્યારબાદ હેમચંદ્રાચાર્યજીના નિરંતર સહવાસ અને સત્સંગથી સિદ્ધરાજને તેમના પ્રત્યે પૂબ જ આકર્ષણ અને સન્માન પેદા થયા હતા. હેમચંદ્રાચાર્ય દ્વારા થતી સિદ્ધરાજની અવસરચિત
પ્રશસ્તિની પાછળ સિદ્ધરાજ દ્વારા ભાવિમાં અનેકવિધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com