SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય સેમચન્દ્રમાંથી “હેમચન્દ્રસૂરિ આ પ્રસંગ બાદ કેટલાક વર્ષો પછી, વિ. સં. ૧૧૬૬ની સાલે.અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે રાજસ્થાનમાં નાગપુર (નાગર) મુકામે ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરીશ્વરજીએ સંયમી અને સુવિનીત સેમચન્દ્ર મુનિને સૂરિપદ (આચાર્યપદ) સમર્પિત કર્યું. તે સમયે અભુત મહોત્સવ ઉજવાયો હતે. સેમચન્દ્રમુનિને આચાર્યપદ અર્પિત થયું ત્યારના વિધિ-પ્રસંગનું વર્ણન કરતાં પ્રભાવક-ચરિત્રમાં લખ્યું છે કે, “ચારે તરફ મંગલ-ધ્વનિ દર્શાવતાં વાદ્યો વાગી રહ્યાં હતાં, ત્યારે દેવચન્દ્રસૂરીશ્વરજીએ પોતે સેમચન્દ્રમુનિના શ્રવણને (કાન) અગરુ, કપૂર અને ચંદનથી અચિંત કર્યા અને સૂરિમ-ત્ર સંભળાવ્યો. ” સંયમ-સ્વીકારના બાર વર્ષ બાદ, સેમચન્દ્ર મુનિ આચાર્યપદ પામ્યા ત્યારે, કેલસામાંથી હેમ (સુવર્ણ)ના નિર્માણના પ્રસંગની સ્મૃતિ ચિરંજીવ રાખવા માટે “હેમ” શબ્દને નામમાં જોડી દેવા માટે ધનદ શેઠે વિનંતી કરી. તે વિનંતીને ગુરુદેવ સ્વીકારી અને ગુરુએ સેમચન્દ્રજીનું નવું નામકરણ કર્યું – આચાર્ય હેમચન્દ્રસૂરિ.” ત્યાર બાદ જગતે એમને વિશેષતઃ “હેમચંદ્રાચાર્ય તરીકે જ ઓળખ્યા. માત્ર એકવીશ વર્ષની નાનકડી ઉંમરમાં તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy