________________
હેમચંદ્રાચાર્ય
[ ૫
લાવ્યા. સૂરિજીએ પોતાની મનોવેદના વાણી દ્વારા શાસનદેવી સમક્ષ વ્યક્ત કરી. ત્યારે, શાસનદેવીએ કહ્યું : “આપ નિશ્ચિત બની જાઓ અને ધંધુકા તરફ પ્રયાણ કરે. ત્યાં આપને એક તેજસ્વી બાળની પ્રાપ્તિ થશે. “ચા” નામના મેઢ વણિકના તે “ચાંગા નામના બાળકને તમે દીક્ષા આ પજે. જિનશાસનના આકાશમાં તે અપૂર્વ સૂરજની જેમ ચમકશે અને તમારી સમગ્ર ચિંતાઓને તે દૂર કરશે.”
આમ...કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિના પ્રાગટયનું કારણ બન્યું.....
દેવચંદ્રસૂરીજીના આંખના આંસુ ! જેણે બદલી નાંખ્યું
જૈન શાસનના ઈતિહાસનું પાસું !! હવે....જીવનકથાના એ ઘટનાક્રમમાં આગળ વધીએ....
# # પાહિણીનું ઉત્તમ સ્વપ્ન
ચાંગાના જન્મ પહેલાં, આચાર્ય શ્રી દેવચન્દ્રસૂરીશ્વરજી જેવા પરમભૃત વિદ્વાન-પુરુષ પાસે આવીને પાહિણીએ, ગુરુવંદના કરીને એક દિવસ એક વાત કરી હતી ? “ભગવાન ! મેં એક સ્વપ્ન
જોયું હતું, મેં એક અતિ ઉત્તમ અને અભુત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Buwatumaragyanbhandar.com