________________
હેમચંદ્રાચાર્ય
[ ૫૭
મારા જે કઈ તત્વાથી (તત્વજિજ્ઞાસું) નથી. કે ભવ્ય થયો છે આ ત્રિવેણી સંગમ ! તે આપ મને કહે કે, બધા ધર્મો પરસ્પર વિરોધી વાત કરે છે તે તેમાં સાચું શુ ?”
ત્યારે સૂરિદેવે જણાવ્યું : “આ બધી શાસ્ત્રચર્ચાઓને કેાઈ અંત નથી. અને તેને અત્યારે અર્થ પણ નથી. પરંતુ તારો આ સવાલ તું શિવજીને પૂછી લે. તેઓ તે અવશ્ય સાચા જવાબ આપશે ને ? હું મજાપ કરું છું. અને તું તેમના ઉપર કપૂર નાંખતે રહે. અને હમણાં જ શિવજી પ્રગટ થશે.”
બસ...સૂરિવયે મત્રજાપ શરૂ કર્યો. અને થેડી જ ક્ષણેમાં એક દિવ્ય વર્તુળ પેદા થયું. એક તેજપુજમાંથી શિવજી (મહાદેવ) પ્રગટ થયા. ગળામાં સર્ષ ! સપના માથે ફણું ! માથામાંથી ઉઠતી ગગાની ઉદ્દગમ જલધારા ! સૂરિદેવ બેલ્યા : “આ રહ્યા મહાદેવ શિવજી ! રાજન ! તમે તમારા પ્રશ્ન પૂછી લ્યો. ”
કુમારપાળે પૂછ્યું: “મહાદેવજી ! સાચા ધર્મ કર્યો ?”
ત્યારે મહાદેવજીએ કહ્યું: “રાજન ! તને ધન્ય છે. તારી તત્ત્વજિજ્ઞાસાને પણ ધન્ય છે. જે
ખરેખર તું સાચો ધર્મ જાણવા ઈચ્છતા હોય તે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18urvatumaragyanbhandar.com