Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૨.૨ ઇવાળા ધાતુઓને ઉદ્દેશીને તેમને તે સૂત્ર સંબંધી કાર્યના વિકલ્પનો ઉપદેશ આપે છે. તેથી તેને અતિદેશસૂત્ર કહેવાય. અતિદેશ સાત પ્રકારે સંભવે છે, નિમિત્તાતિદેશ, વ્યપદેશાતિદેશ, તાદાભ્યાતિદેશ, શાસ્ત્રાતિદેશ, રૂપતિદેશ, કાર્યાનિદેશ અને અર્થાતિદેશ. જે અંગે શબ્દકૌસ્તુભ આદિ ગ્રંથોથી જાણી લેવું.
(i) અનુવાદ સૂત્ર-પ્રસિદ્ધચ થનમનુવા: પ્રસિદ્ધ વસ્તુનું પુનઃ કથન કરવું તેને અનુવાદ કહેવાય. જે સૂત્ર પોતામાં કોઇ પ્રસિદ્ધ વસ્તુનું પુનઃ કથન કરતું હોય તેને અનુવાદ સૂત્ર કહેવાય. જેમકે સમૂહ અર્થમાં થતા પ્રત્યય “SMય: સમૂદે ૬.૨.૨' વિગેરે સૂત્રોમાં પ્રસિદ્ધ છે. તયો: સમૂહવઠ્ઠું ૭.રૂ.૩' સૂત્રમાં તે સમૂહ અર્થક પ્રત્યયોનું પુનઃ કથન કર્યું હોવાથી તે સૂત્રને અનુવાદ સૂત્ર કહેવાય.
આમ ૧૦ પ્રકારના સૂત્રો વર્ણવ્યા. તેમાં ‘સિદ્ધિ: ચારા' એ અધિકાર સૂત્ર છે. જેનો અધિકાર આ વ્યાકરણ શાસ્ત્રની પરિસમાપ્તિ ન થાય ત્યાં સુધી ચાલશે.
(2) સિદ્ધિ બે પ્રકારની છે (૧) પરમાર્થ સિદ્ધિ – નય વિગેરેનાં બોધરૂપ ઉપાયને આધીન જે શબ્દાદિ તત્ત્વની ‘શબ્દ નિત્ય છે, અનિત્ય છે” વિગેરે સ્વરૂપે પ્રતિપત્તિ, તે પરમાર્થસિદ્ધિ છે. (૨) વ્યવહાર સિદ્ધિ – શબ્દમાં કયો પ્રત્યય છે, કઇ પ્રકૃતિ છે, તેમનો અર્થ શું થાય છે વિગેરે વિભાગ સ્વરૂપ સિદ્ધિ વ્યવહાર સિદ્ધિ છે. બન્ને પ્રકારની સિદ્ધિ સ્યાદ્વાદથી થાય છે. સ્યાદ્વાદ અનેકાન્તવાદાત્મક છે, આથી ખૂ. વૃત્તિમાં “વિત્યવ્યમાન્તદ્યોતમ્' કહ્યું છે.
ચાર શબ્દમાં વર્તતો ચાલ્ અવ્યય અનેકાંતનો દ્યોતક છે વાચક નથી, કેમકે તે નિપાત (A) (અવ્યય) છે. જો અવ્યયને અનેકાંતનો વાચક માનવામાં આવે તો સતભંગીના ચોવચ્ચેવ' ભાંગાના પ્રયોગમાં વર્તતા સાદુ દ્વારા જ પ્રામાણ્ય (અનેકાંત) નો બોધ થઇ જતો હોવાથી અનેકાંતને જણાવવા તિ વ પદો મૂકવા નિરર્થક કરે અથવા તો પુનરૂકિત દોષ આવે. આશય એ છે કે ચાર શબ્દ સ્થળે વાદ્ધ શબ્દ અનેકાંતવાદનો વાચક છે. હવે ‘ચાત્ રૂપો વાદ: = ચાર:' આમ શબ્દ સિદ્ધ થતો હોવાથી ત્યાં વાવ અંશથી ‘અનેકાંતવાદ' અર્થનો બોધ થાય છે અને સત્ અંશ તે અનેકાંતવાદ અર્થનો ઘાતક બને છે. અર્થાત્ વા શબ્દમાં સુષુપ્તરૂપે પડેલા અનેકાંતવાદ રૂપ અર્થને અવ્યય પ્રકાશમાં લાવવાનું કામ કરે છે.
અહીં શંકા થશે કે “ચાલ્અવ્યયનો અર્થ અનેકાંત” અને વાવ શબ્દનો અર્થવાદ કરીએ તો ચાલ્પો વાઃ સ્વઃ નો ‘અનેકાંતવાદ અર્થ પણ પ્રાપ્ત થશે અને સાદુ અવ્યયને ‘અનેકાંત' અર્થનો વાચક પણ માની શકાશે.” પરંતુ આ શંકા અસ્થાને છે, કેમકે અહીં અનેકાંતરૂપ વાદ કહ્યો હોવાથી વ૬ શબ્દથી વાચ્ય વાદ એ અનેકાંતાત્મક જ છે. ફક્ત સાત્ શબ્દના સહારે તેની અનેકાંતતા ઘોતિત કરવામાં આવી છે. (A) નિપાત ઘોતક મનાયા છે તે અંગે વિશેષ જાણવા પ.પૂ. ૨.૨.૪૬ મ. બાળ-કરી' તથા વા.પ. ૨/૧૯૪ વિગેરે
શ્લોકો જોવા.