________________
wwી.
• '
પ્રભુને પ્રથમ ભવ : મરૂભૂતિનું વર્ણન.
[ ૧૭ ].
ઉપર જ હોય છે. કેમકે તે પાપે પ્રેરણા કરેલા પુરૂષો જ અપકાર કરનારા થાય છે. વળી તે પાપ કર્મ દુરકર તપ કરવાવડે, શુભ ધ્યાનવડે અને મન, વચન તથા કાયાના સારા
ગવડે, તેમ જ એકાંતમાં વસવાવડે, ગુરુચરણની સેવાવડે અને દેવપાદની પૂજાવડે શીધ્રપણે નાશ પામે છે. આવા પ્રકારની પ્રવૃત્તિ પ્રયત્નવડે સાધી શકાય છે એમ પ્રગટ જ દેખાય છે, અને પ્રયત્ન પિતાને આધીન છે, તે પ્રમાણે હોવાથી અનિષ્ટની પરંપરાને કેણુ સહન કરે ? આ પ્રમાણે પરમાર્થને જાણીને ક્રોધરૂપી દોષનો ત્યાગ કરી તે પ્રકારે તું ધર્મક્રિયામાં ક્રીડા કર, કે જેથી આવા પ્રકારને સંતાપ તને પ્રાપ્ત થાય નહીં.” આ પ્રમાણે કુળપતિવડે ઉપદેશ કરાયેલ કમઠ પોતાની બુદ્ધિને પ્રચાર કાંઈક વૈરાગ્ય માર્ગમાં જવાથી કુળપતિને આદર સહિત પ્રણામ કરીને વિનંતિ કરવા પ્રત્યે-“હે ભગવાન! તમે યથાસ્થિત (બરાબર) મને આદેશ કર્યો, તેથી પ્રસાદ કરીને મને તમારી દીક્ષા આપે. ત્યારે કુલપતિએ તેને તાપસની દીક્ષા આપી, તેને ક્રિયાને સમૂહ શીખવ્યું, દેવપૂજાદિક મંત્રનું સ્મરણ જણાવ્યું, ત્યારે તે પણ સમ્યક્ પ્રકારે સત્ય અનુષ્ઠાન (ક્રિયા ) કરવામાં પ્રવર્યો. દુષ્કર વિશેષ પ્રકારના તપ કરવાથી શુષ્ક શરીરવાળે તે લોકોને અભિમત (ઈસ્ટ) થયે, કુલપતિને પ્રીતિકારક થયે, અને બાકીના તાપસને પ્રશંસા કરવા લાયક થયો. એ પ્રમાણે તેના દિવસો જાય છે. • ' હવે અહીં ગૃહવાસના વ્યાપારને કરતા, વૈભવને અનુસારે દુઃખી માણસે ઉપર દયાને કરતા, મોટા ભાઈના વિરહવાળા ઘરને શુન્ય જેવું જેતા અને આમતેમ લેકના પ્રવાદને સાંભળતા એવા મરુભૂતિને કેઈક દિવસ આવા પ્રકારને સંકલ્પ ઉત્પન્ન થયે-“અરે રે! મેં મહામૂખે મોટું અકાર્ય કર્યું, કે મારા મોટા ભાઈને તથાપ્રકારની વિડંબના કરીને તે વખતે નગરની બહાર કાઢ્યો, અનાર્ય એવા મેં કુળક્રમની અપેક્ષા કરી નહીં, ધર્મની નિંદાને વિચાર કર્યો નહીં, અને સર્વત્ર વિસ્તાર પામતા અપયશને ગણકાર્યો નહીં. કપટના કુંડા સમાન, વીજળીના તરંગ જેવા ચંચળ મનવાળી અને દુષ્ટ શીળવાળી મારી ભાર્યાને માટે મેં આવું અગ્ય કાર્ય કેમ કર્યું ? તે પુરુષો ધન્ય છે, પુણ્યશાળી છે, વૈરાગ્ય પામેલા છે, અને તેઓ ભવસમુદ્રને પાર પામ્યા છે, કે જે સ્ત્રીને ત્યાગ કરી સંયમના ઉદ્યોગને પામ્યા છે. તે મારું સમયશાસ્ત્રના પરમાર્થનું ચિંતન અને મારી તે નિર્મળ બુદ્ધિ એકદમ નાશ પામી. અહે ! સ્ત્રી ઉપરના મોટા મોહને ધિક્કાર છે. “ભાર્યાને માટે મોટાભાઈને ઘર અને નગરથી બહાર કાઢી મૂક્યો” એ પ્રમાણે ચારે દિશામાં પ્રસરતી મારી અપકીર્તિને મારે શી રીતે દૂર કરવી ? તેથી કરીને અપયશરૂપી કલંક વડે મલિન થયેલ મારું જીવિત મહાદુષ્ટ મહાદુષ્ટ છે. અને પુરુષોનું જીવિત જગતમાં અપવાદ રહિત વિલાસ પામે છે–વખણાય છે. હવે ખેદ કરવાથી સર્ષ, આશ્રમ સ્થાનમાં હું જાઉં અને કમઠને પ્રસન્ન કરીને તથા ખમાવીને અહીં પોતાને ઘેર લાવું.”