________________
[ ૧૯૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: પ્રસ્તાવ : ૪ થો :
સૌભાગ્યને ધારણ કરતા, પૂર્વભવમાં નિકાચિત કરેલા ગણધર નામ શેત્રવાળા, પ્રશસ્ત લક્ષણ વડે અંકિત થયેલા અને ઉત્તમ કુળમાં જન્મેલા શુભદત્ત, આર્યશેષ, વસિષ્ઠ, બંભ (બ્રા), સોમ, શ્રીધર વારિણ, ભદ્રયશ, જય અને વિજય નામના મનુષ્ય પ્રવજ્યા ગ્રહણ કરવા માટે ભગવાનની પાસે આવ્યા. તે વખતે ભગવાને સંઘ સહિત તેઓને દીક્ષા આપી. ત્યારપછી અત્યંત નિર્મળ બુદ્ધિના પ્રકર્ષવડે સમગ્ર કાર્યને વિચાર કરનારા અને પરિપાટિએ (અનુક્રમે) રહેલા તેઓને ક્રમે કરીને સર્વ ભાવ અને અભાવને જણાવવામાં સમર્થ ઉત્પાદ, વિગમ અને ધ્રુવ લક્ષણવાળા ત્રણ અર્થપદ આપ્યા. વિનયવડે નમ્ર થયેલા તેઓએ તે અર્થપદેને (ત્રિપદીને) સારી રીતે ગ્રહણ કરીને બીજબુદ્ધિપણા વડે અને પૂર્વભવમાં બાંધેલા ગણધર નામ ગોત્રકર્મને આશ્રય વડે સારી રીતે વિસ્તાર કરીને બાર અંગ અને ચોદ પૂર્વ રા. આ પ્રમાણે સૂત્રની રચના કરી ત્યારે તેના અનુયોગની અનુજ્ઞા આપવા માટે તે ત્રિલેકના બંધુ પોતે જ તૈયાર થયા. તે વખતે સૌધર્મઇદ્ર ઘણા સુગંધવડે પ્રાપ્ત થયેલા ભમરાના સમૂહે કરીને શ્યામ કાંતિવાળા અને સુગંધવાળા વાસક્ષેપથી ભરેલે રત્નને થાળ લઈને ભગવાનની પાસે આવ્યા. પછી ભુવનગુરૂ ભગવાન કાંઈક નમેલી કાયાવાળા શુભદાને આરંભીને વિજય પર્યત તે દશેના મસ્તક ઉપર “આજથી મેં તમને સર્વ દ્રવ્ય, પર્યાય અને નવડે તીર્થની અનુજ્ઞા આપી છે. ” એમ બોલતા બોલતા વાસક્ષેપની મુષ્ટિ નાંખવા લાગ્યા. આકાશમાં રહેલા દે પણ ચારે દિશામાં પ્રસરતી સુગંધવાળી ચૂર્ણની મુષ્ટિ નાંખવા લાગ્યા. એ જ પ્રમાણે ભગવાને તેઓને ગણ(ગ૭)ની પણ અનુજ્ઞા આપી. દેવેદ્રોના સમૂહવડે વંદાયેલા, સર્વ લબ્ધિઓ વડે આનંદ પામેલા, પોતાના શેત્રને પ્રકાશ કરવામાં મનહર દીપક જેવા, દુષ્કર્મરૂપી કાષ્ઠને બાળવામાં અગ્નિ જેવા, વ્રતને વિષે જ ચિત્તને સ્થિર રાખનારા, તપની લક્ષમીવડે યુક્ત, શાંત ચિત્તની વૃત્તિવાળા, શુદ્ધ બુદ્ધિમાં પ્રવેશ કરેલા, ગુણની શ્રેણિવડે શોભતા, કેવડે પણ દેષને નહીં પામેલા, સ્કુરાયમાન કાંતિની મૂર્તિવાળા, બુદ્ધિવડે ઇંદ્રના મંત્રી( બહસ્પતિ)ને જીતનારા, ક્રોધ અને વઢવાથી રહિત થયેલા, પૃથ્વીતળના એક અલંકારરૂપ, ઉત્પન્ન થયેલી વિચિત્ર શક્તિવાળા તથા એક મેક્ષમાર્ગમાં જ વર્તવાવાળા, આવા પ્રકારના માહામ્યવડે શેભતા, મોટા સત્વવાળા અને જગતને પૂજવા લાયક ચરણકમળવાળા તે દશે સાધુઓ શીધ્રપણે ગણધરની પદવીને પામ્યા. અથવા તે તેઓનું શું વર્ણન કરવું? કે જેઓના મસ્તક ઉપર પાર્શ્વનાથ સ્વામીએ પોતે જ કલ્પવૃક્ષના પલવ જે પિતાનો હાથ વિસ્તાય છે (મૂકે છે). જેમ કુલપર્વતે વડે મેરુપર્વત શેભે છે, જેમ તમાલ વિગેરે વૃક્ષો વડે જંબવૃક્ષ શેભે છે, જેમ તારાઓ વડે ચંદ્ર શેભે છે, અને જેમ દ્રહેવડે સીતા નદીને પ્રવાહ શોભે છે, તેમ તે ગણધરવડે શોભતા, મોટા માહાઓને પામેલા, વિશેષ પ્રકારની શોભાને પામેલા અને મેહરહિત થયેલા ભુવનગુરુ પૃથ્વી પર વિહરે છે. પછી તે ભગવાનના પક્ષપાતને અનુસરનારા,