Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 493
________________ [ ૩૮૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મા ઃ કરતા તે યુવાવસ્થાને પામ્યા. તેનું વિવેકરૂપી લેાચન જરા ઉઘડયું, યાગ્ય અને અયાગ્યના વિચાર કરવામાં કાંઇક સન્મુખ તેની બુદ્ધિ થઇ, તથા શુભ અને અશુભ ( અથવા સુખ અને અસુખ )ને જાણવામાં તત્પર તેની હુશિયારી થઇ. તેવામાં મહાકવિના કાવ્યના પ્રબ ંધની જેવા સ્કુરાયમાન પ્રવર અલંકારના સારવાળા નિર્મળ વસંત ઋતુ પ્રાપ્ત થયા. તેનું માહાત્મ્ય સત્ર વિસ્તાર પામ્યું, નગરના લેાકેા દાન આપવા લાગ્યા, અનશનને પામેલા મુનિજનની જેમ આહાર અને ભૂષણના ત્યાગ કર્યો, જેમ નંદનવનને વિષે તેમ ત્રિક, ચતુષ્ક અને ચચ્ચરને વિષે વિવિધ પ્રકારના વિલાસવાળા, શાભાવાળા અને ચરી ગાવામાં મુખર મુખવાળા સ્ત્રીઓના સમુદાય વિલાસ કરવા લાગ્યા, સર્વત્ર નૃત્યની વિધિ પ્રવતી, કામી જનાના સમૂહ ઇચ્છા પ્રમાણે વિલાસ કરવા લાગ્યા, તથા ચાતરમ્ કચક્ર (કથા કરનાર), લવક (કૂદનાર), નટ, નાટક કરનાર અને મંદીના સમૂહ કરવા લાગ્યા. તે વખતે પાતાની તથાપ્રકારની દુરવસ્થાને જોતા સાગરે વિચાયું કે આટલા માટા જગતને વિષે વિધાતાએ પુણ્યશાળી જનની દૃષ્ટિને દૂર કરવા માટે એક મને જ ખનાબ્યા ( ઉત્પન્ન કર્યા ) છે, એમ હું માનું છું. અત્યંત મનેાહર શૃંગાર અને સારા નેપથ્યવાળા અને ચંદ્રની જેમ માણસાના મનને આનંદ કરનારા કેટલાક મહાનુભાવા દાન આપે છે અને વિલાસ કરે છે. તથા બીજા પુષ્પ રહિત, શૂન્ય, પેાતાના છતિમાં પણ ખેદ પામેલા, અને પાતાના આત્માને પોતે જ પગલે પગલે નિદતા અમારી જેવા અસાર, વિશિષ્ટ ( સારા ) લેાકના પરાભવના સ્થાનરૂપ, અને પુરુષાર્થ રર્હુિત એવા લેાકેાને તેના દુષ્કર્મ વડે બનાવ્યા છે. અરે રે! છાયા પુરુષની જેમ અહીં તેઓ માત્ર આકારથી જ પુરુષરૂપે છે, અને પરલેાકને વિષે કેવા થશે તે કાણુ જાણે છે ? દુષ્કર તપસ્યા કરી નથી, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ચિત્તનું નિયંત્રણ કર્યું`` નથી અને તથાપ્રકારનું સારું ચારિત્ર કાંઈ જરા પણુ માચર્યું નથી; તેથી મારી જેવા પરભવને વિષે પણ કલ્યાણુના ભાગી શી રીતે થશે ? તેથી આ પ્રમાણે પ્રતિવિધાનને કર્યા વિના અમારે રહેવુ. ચાગ્ય ’નથી, પ્રમાણે માટા વૈરાગ્યને પામેલી મતિવાળા તે સાગર વિલાસ કરતા લેાકાને જોવાને અસમ થયા, તેથી તાપસના આશ્રમમાં ગયા. ત્યાં કુલપતિની પાસે પ્રત્રજ્યા ગ્રહણુ કરી અને શરીરની અપેક્ષા વિના દુષ્કર તપના વિધિની આરાધના કરવા પ્રવ. તે આ પ્રમાણે:— "" આ કાઈક વખત માસિક તપના અંત સમયે વૃક્ષ ઉપરથી પડેલાં, શુષ્ક અને પાકાં પાંદડાંવડે પારણું કરતા હતા. કાઇ વખત ઉષ્ટ્રિકાની અંદર પ્રવેશ કરીને, મનનેા રાધ કરીને, ઇંદ્રિયાના પ્રચાર બંધ કરીને તથા પ્રાણને સ્થિર કરીને ધ્યાન કરતા હતા. કાઇક વખત વનસ્થળીમાં( વનના એક ભાગમાં ) જઇને સૂ મડળની સન્મુખ નેત્રપુટને નિશ્ર્ચળ રાખીને તપેલા શરીરવાળા તે આતાપના લેતા હતા. કાઇ વખત વૃક્ષની શાખા ઉપર ૧ ટના આકાર જેવું લાખાં આકારવાળુ' વાસછુ.

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574