Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 534
________________ છે : મંત્રીપુત્રને બુદ્ધિવિલાસ અને પ્રશ્નોના ન્યાયપૂર્વક ખુલાસા. [૨૯] પ્રમાણે કેટલાક દિવસો ગયા. પછી કઈક દિવસ સૂર્યાસ્ત સમયે વાળ કરતો શ્રેષ્ઠી સાક્ષાત જેતે હતા ત્યારે તેને ઘેર વૃષભને બાંધીને હું મારે ઘેર ગયે. શ્રેષ્ઠી ભજન કરતો હતા ત્યારે જ તે વૃષભ કોઈ પણ પ્રકારે બંધનથી પિતાને મુક્ત કરીને ઘરમાંથી બહાર નીકળ્યા. શ્રેણી પણ અન્ય અન્ય કાર્યના પ્રસંગથી કાંઈક કાળવિલંબ કરીને વૃષને જેવા લાગ્યું. તેને ચોરોએ હરણ કરેલા છે' એમ ધારીને તેને નહીં તે તે શ્રેણી મારી પાસે માગવા લાગ્યા. મેં તેને કહ્યું કે “તમારા દેખતા છતાં તે વૃષ તમારે ઘેર બાંધીને મૂક્યા હતા, તેની તમે ઉપેક્ષા કરી હશે. તેમાં મારો શ ષ છે? આ પ્રમાણે વૃષભે ગયા છતાં પણ જો તમે મારી પાસે માગતા હે, તે આપણે કારણિકને કહીએ. જે તેઓ કહેશે, તે તે વૃષને પણ હું આપીશ.” ત્યારે શ્રેણીએ તે અંગીકાર કર્યું. પછી તેની સાથે આવતા માર્ગમાં ગાડાની સન્મુખ જતા ઘડેસ્વારે મને કહ્યું કે-“આ ત્રાસ પામેલા ઘડાને યષ્ટિવડે મારીને પાછો વાળ.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે મેં તે ઘડાને માર્યો, તે વખતે કોઈપણ પ્રકારે મર્મસ્થાનમાં ઘાત થવાથી તે મરી ગયો. ત્યારે તે ઘોડેસ્વાર મારી પાસે ઘોડો માગવા લાગ્યું. મેં કહ્યું કે-“તારા કહેવાથી મેં ઘેડાને માર્યો, હવે મારે તને શું આપવું? આમ છતાં પણ જે કારણિક પુરુષ અપાવશે, તે હું આપીશ.” પછી તે પણ મારી પાછળ લાગે. ત્યારપછી હું તે બને સહિત આજે રાત્રિ સમયે આ નગરીમાં આવ્યું અને બહાર વટવૃક્ષની નીચે રહ્યો. મધ્યરાત્રિને સમયે વૈરાગ્ય પામેલા મેં વિચાર કર્યો કે-“હવે મારું જીવિત સર્વથા પ્રકારે નથી, તે પછી બીજાએ કરેલી વિડંબનાનો અનુભવ કરવાથી શું? તેથી ઉલંબન કરીને મરવું સારું છે.” એમ વિચારીને હું વટ ઉપર ચડ્યો. ત્યાં ઉત્તરીય વસ્ત્રવડે શાખા ઉપર અને મારા કંઠદેશ ઉપર પાસલો બાંધ્યે. ત્યાંથી આત્માને મૂા. ભારવાળા શરીરવડે કરીને તે પાશ 'તૂટી ગયું અને હું પૃથ્વી ઉપર પડ્યો. પરંતુ ત્યાં નીચે નટપેટકનો એક વૃદ્ધ માણસ સતે હતું તે પડતાં એવા મારાવડે પિતાના શરીરથી ચંપા (દબાયે), અને તે અભિવાતવડે તે મરી ગયે. ત્યારે નટએ પણ મને કહ્યું કે-“મારા પિતાને આપ.” તેઓ પણ અહીં આવીને રહ્યા છે. હવે હે કારણિક પુરુષો ! મારા ઉપર કાંઈક કરુણા કરીને ન્યાયમાર્ગ કહે કે જેથી હું પાપી જવું. મારા જીવિત અને જન્મને ધિક્કાર છે, કે જે હું આવા મોટા ભયંકર દુષ્કર્મને વિષે પડ્યો છું. તેથી મારે ઘેર પણ કામ કરવા પામતું નથી. અરેરે ! જે મારે વિધિ વિમુખ હોય, તે ભલે મને વિત્તની સંપદા ન આપે પરંતુ જે મરણને પણ અટકાવે છે, તે તે મને અત્યંત મોટું દુઃખ છે. મારું જીવિત નથી, મરણ નથી, પ્રસ્તુત કજીયાનો વિચછેદ નથી. હું ક્યાં જાઉં અથવા શું કરું? હા! હા! હું મંદ ભાગ્યવાળો છું.” ત્યારપછી કારણિક પુરુષોએ તે ઘોડેસ્વાર વિગેરેને પૂછયું ત્યારે તેઓએ પણ સર્વ એ જ પ્રમાણે કહ્યું. તે વખતે “આવા વ્યવહારમાં શું ઉચિત છે? ષવાળ કેણુ છે

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574