Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 538
________________ શ્રેષ્ઠીપુત્ર ધર્મયશને સિહદેવ રાજવીની પ્રેરણા. [૪૩૩ ] કેટલું કહેવું? જે તમારે નિરૂપમ સુખનું કામ હોય, તે યથાકત પુણ્યને માટે અત્યંત પ્રવૃત્તિ કરો.” આ પ્રમાણે સૂરિએ કહ્યું ત્યારે પર્ષદાના લોકો અને વિશેષે કરીને રાજપુત્રાદિક મનવાંછિત અર્થના પ્રશ્નના ઉત્તરની પ્રાપ્તિથી સંતુષ્ટ થયા, અને યક્ત સર્વના ધર્મને અંગીકાર કરીને પિતાના આત્માને કૃતકૃત્ય (કૃતાર્થ ) માનતા જેમ આવ્યા હતા તેમ ગયા. સૂરિએ પણ અન્યત્ર વિહાર કર્યો. રાજપુત્ર વિશેષ કરીને ધર્મમાં તત્પર મનવાળો, સૂરિએ ઉપદેશ કરેલા ધર્મકાર્યની આરાધનામાં તત્પર અને જિનપૂજાદિક તે તે કાર્યો કરવામાં અત્યંત ઉદ્યમી થયો. તેને અનુસરવાવડે શ્રેણી પુત્ર પણ તે થયે. તથા વળી મંત્રીપુત્ર કાંચીપુરના રાજાએ મોકલેલા પ્રધાન પુરુષોને લાવવાવડે ધર્મના પરમાર્થમાં નિશ્ચળ ચિત્તવાળો થઈને રાજપુત્ર અને શ્રેષ્ઠીપુત્રને તે વાત કહીને કાંચીપુરીમાં ગયો. આ પ્રમાણે દિવસે ગયા ત્યારે ઉત્પન્ન થયેલા મોટા રેગવડે પોતાને અવસાન(અંત) સમય જાણીને શ્રીહર્ષ રાજાએ સિદ્ધદેવ રાજપુત્રને પિતાને સ્થાને સ્થાપન કર્યો, સર્વ રાજ લક્ષમી અર્પણ કરી અને પોતે અનશન કરીને મરણ પામે. સૌધર્મ દેવકને વિષે પાપમની સ્થિતિવાળા દેવ તરીકે ઉત્પન્ન થયે. તથા સિદ્ધદેવ રાજા જો કે બે રાજ્યની મોટી ચિંતાના સમૂહથી વ્યાકુળ હતું, તે પણ ગુરુજને ઉપદેશ કરેલા વિશેષ પ્રકારે દેવપૂજાદિક નિત્ય કૃત્યમાં નિશ્ચળ ચિત્તવાળ, દેવ, મનુષ્ય અને અસુર લેકવડે પણ ધર્મથી ક્ષોભ ન પમાડી શકાય તે, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષને વિષે કુશળ અને નિરંતર મુનિજનની પર્યુંપાસનામાં તત્પર એવો તે દાનાદિક ધર્મકાર્યમાં ઉદ્યમ કરવા પ્રવર્યો. પરંતુ શ્રેષ્ઠીપુત્ર ધર્મયશ નિરંતર વૃદ્ધિ પામતા દ્રવ્યવડે વિશેષે કરીને ઉલાસ પામતા લેભના અતિરેકવાળે થવાથી ધર્મકાર્યને વિષે અનાદરથી પ્રવર્તવા લાગ્યો, તેથી તેને રાજાએ કહ્યું કે-“હે ધર્મયશ! કેમ આ પ્રમાણે ધર્મકાર્યને વિષે તું મંદ આદરવાળા જેવો દેખાય છે? શું આ યુક્ત છે કે ગુરુની સમક્ષ પોતે જ ધર્મગુણ અંગીકાર કર્યા છતાં પણ આ પ્રમાણે પ્રમાદ કરે છે?” શ્રેષ્ઠીપુત્રે કહ્યું-“હે દેવ! તમે ઘણા પુણ્યશાળી છો અને મોટી લક્ષમીના વિસ્તારને ભજ. વાવાળા છે, તેથી બીજાની દુઃસ્થિતિને નથી જાણતા.” રાજાએ કહ્યું-“હે શ્રેષ્ઠીપુત્ર! તારી કઈ દુઃસ્થિતિ છે? દેશાંતરથી ધનને વિસ્તાર તું લાવે છે, અને પિતા, પિતામહ વિગેરે પુરુષની પરંપરાએ ઉપાર્જન કરેલા અસંખ્ય ધનને સમૂહ વિદ્યમાન છે. વળી આ કહેવાય છે તે સત્ય છે, નિર્ધન માણસ ધનને ઇરછે છે, ધનવાન રાજયને ઈરછે છે અને રાજા પણ ઇ૫ણુને ઇરછે છે એ પ્રમાણે વિચછેદ રહિત વિત્તની ઈચ્છાવાળા મૂખંજને ક્ષયને પામે છે. તે શ્રેષ્ઠીપુત્ર! આ અયુક્ત છે, એવા પ્રકારના લેકે નિંદા કરે છે, તે તે દૂર રહે, પણ એમ કર્યા છતાં પણ પાપી જીવની તૃપ્તિ દુર્લભ છે. જે તું અતુલ્ય સુખને ઇચ્છતે હોય, અથવા નિર્મળ ધર્મને અભિલાષ કરતે હોય, તે પ્રયત્નવાળો થઈને ૫૫

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574