________________
[ ૪૧૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મા ઃ
થાય ? ” ત્યારે ત્રિભુવન દેવીએ કહ્યુ કે—“ એ એમ જ છે, પર ંતુ કામદેવની ધેારણી દુ:ખે કરીને ધારણ કરી શકાય તેવી છે. તે અંતરાળમાં ( વચમાં ) પણ શું કરશે ? તે જણાતુ નથી. ” એમ કહીને તે દેવી કામદેવરૂપી અગ્નિના દુ:સહુ સંતાપને વિચારવા લાગી. ત્યારે પ્રિયંકરા ક્રીથી ધનદેવની પાસે ગઇ. એક ક્ષણવાર તે તે કથાવડે રહીને ઉચિત સમયે તે કહેવા લાગી કે—“ હે માટા પ્રભાવવાળા ! તુ સદ્ધર્મના માર્ગોની ભાવનાવાળા, સત્ય ખાલનાર અને સમગ્ર ગુણરૂપી રત્નનેા રાશિ છે, પરંતુ જો કેઇ પણ પ્રકારે દાક્ષિણ્ય ગુણ તારામાં હાત, તા ત્રણ ભુવનમાં પણ કોઇ તારું મૂલ્ય કરી શકત નહીં. ” ધર્મદેવે કહ્યું—“ માટા પ્રભાવવાળી ! તું આમ કેમ ખેલે છે? મેં દાક્ષિણ્ય રહિત થઈને તારું અનુચિત શું કર્યું છે ? અથવા તા અમારી જેવા કેટલા માત્ર શક્તિવાળા છે ? કે જે દાક્ષિણ્યને પામ્યા છતાં પણ કયા કાર્ય ને કરવામાં સમર્થ છે? કેમકે શરીરના મંગના ભાગ દેદીપ્યમાન છતાં પણ ખદ્યોતના ( ખજવાના) ખાળક પ્રચંડ સૂર્યમંડળની પ્રભાના સમૂહવડે પ્રકાશ કરવા લાયક આકાશના ઉદ્યોત કરવા સમર્થ થતા નથી અથવા તે અત્યંત સંતાષના પ્રકને પામેલા પણ દુર્ગંંત (દીન માણસ ) પેાતાને ઘેર આવેલા પ્રેમી જનને શું આપી શકે? તેથી હું માટા પ્રભાવવાળી ! માત્ર પુરુષના આકારવાળા અમારી જેવાને વિષે જે કાંઇ ગુણુ હાય, તે પણુ અપૂર્વ લાભ જેવા માનવેા. ” પ્રિય કરીએ કહ્યું કે—“ એ સર્વ ભલે હા, પરંતુ હું જે કહુ તે તુ કર. એક વખત તું દેવીની પાસે આય. ” ધર્મ દેવે કહ્યું—“ રાણીનું હૃદય દુર્લક્ષ્ય (ન જાણી શકાય તેવુ) હોય છે. મેં ખીજાને ઘેર જવાને પણ પ્રતિષેધ કર્યાં છે, તેથી રાજાની પ્રિય ભાર્યાં જનતુ, દન પશુ ચેાગ્ય નથી. તેથી હું ભદ્રા! આ અનૈ વિષે ફરીથી એકદમ તને નિવારી છે, તેથી જો તું મારું કુશળ ઇચ્છતી હાય તા હવે ફરીથી તું અહીં આવીશ નહીં, ” આ પ્રમાણે સ્ફુટ અક્ષરવાળી વાણીવર્ડ તેણે નિષેધ કરેલી પ્રિયકરી રાજાની રાણી પાસે ગઇ અને કહેવા લાગી કે—“ હે દેવી! વજાની ગ્રંથિ જેવા કઠાર હૃદયવાળા તે વણિકપુત્રને સમજાવવાને માટે ઈં પણ સર્વથા સમથ નથી, તેથી તેને વિષે પ્રતિબંધની બુદ્ધિના ત્યાગ કા, સત્ત્વના ભારને અંગીકાર કરો, સ્વચ્છ ંદપણું ઉન્માર્ગીમાં લાગેલા ઇંદ્રિયારૂપી અશ્વના સમૂહનું દમન કરા, મર્યાદા રહિત આચારમાં પ્રવતેલા પ્રાણીઓની દુર્ગતિના તીક્ષણ દુ:ખની પ્રાપ્તિની વિડંબનાની ભાવના કરા, તથા આવા પ્રકારના અકૃત્યમાં આસસ્ક્રુત ચિત્તવાળા પ્રાણીઓને મેટી આવી પડતી આપત્તિના સમૂહને જુએ.—“ હું કાણું છું? મારું કુળ કયું છે ? ન્યાયશાસ્ત્રના પરમાર્થ શા છે ? અથવા મારા પતિ ક્રાણુ છે ? ” એમ હે દેવી ! તમે ચિ ંતવન કરો. આ જીવિત તુચ્છ છે, ખળ સમુદ્રના કલેાલના સમૂહ જેવુ' ચંચળ છે, શરીર પણ ઘણા રોગના સમૂહવડે વ્યાપ્ત છે, અને યુવાવસ્થા પણ નેત્રના કટાક્ષ જેવી ચપળ છે. હે દેવી! આ પ્રમાણે સાંસારિક પદાર્થો અસાર હાવાથી આત્માના હિતને ઇચ્છનાર કયા માણસ કાર્ય કરવાને ઇચ્છે? હું સુતનુ ! આ