________________
[ ૧૪૮ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રરતાવ ૩ જો :
^^^^
^^^
^
^^
^^^
તે કુમાર કમલાકર છે, તેથી હે વહાલી ! આ બન્નેને સંગમ કોને પસંદ ન પડે? પરંતુ ધીરજનું આલંબન કરીને તું આ પ્રસ્તુત અર્થને વિષે કાંઈક કાળના વિલંબને સહન કર, કે જેથી તું મનવાંછિત પામી શકે.”
આ પ્રમાણે મનહર વાણીવડે આશ્વાસન આપીને તેને તેના મંદિરમાં તેઓ લઈ ગઈ, પરંતુ ત્યાં પણ બહાર કે મથે (અંદર), એકાંતમાં કે જનસમૂહમાં, રાત્રિએ કે દિવસે, શામાં કે આસનમાં તથા ઘરના આંગણામાં કે વનમાં કોઈ પણ ઠેકાણે તે રતિને પામતી નહતી. પરંતુ માત્ર લાંબા નસાસાવડે ઝરૂપી પલવને સુકાવતી દુઃખથી ઉછળતી મંદ વાયુએ ચલાવેલ વૃક્ષની શાખાની જેમ વસ્ત્રને ચલાવવા લાગી. પછી તે સખીઓએ જલદી જલદી જઈને પ્રસેનજિત રાજાને તેણીનું સર્વ વૃત્તાંત વિસ્તારથી કહ્યું. રાજા પણ તે સાંભળીને તુષ્ટમાન થઈ બોલ્યા કે-“અહે ! મારી પુત્રી વિશેષ જ્ઞાની છે, કે જેની બુદ્ધિ જગતના ચૂડામણિરૂપ અશ્વસેન રાજાના પુત્રને વિષે આસક્ત થઈ. મેં પણ પહેલાં જ સ્વયંપ્રભા દેવીની પાસે કહ્યું હતું કે આ પુત્રી પાર્શ્વ કુમારને આપવા ગ્ય છે. તેથી આ સત્ય થયું. કેમકે અનુકૂળ દેવ સર્વનું કલ્યાણ કરે છે. અને આ પ્રમાણે અમારા મનવાંછિત અર્થને સાધવામાં પ્રધાન આ પુત્રીનું વાંછિત છે. આ પ્રમાણે તેની પાસે જઈને તમે તેને નિવેદન કરો.” ત્યારે સખીઓએ ત્યાંથી પાછી આવીને હર્ષ સહિત આ સર્વ હકીક્ત રાજપુત્રીને નિવેદન કરી. ત્યારે તે કન્યા તેને અમૃતરસની જેમ શ્રવણખુંટવડે પાન કરીને વિયેગની વેદનાથી કાંઈક શાંતિ પામી, તો પણ ચંદ્રને ઈચ્છતી નથી, ચંદનને વખાણતી નથી, પુષ્પમાળાને ધારણ કરતી નથી, કાકલીના (કોયલના) ગીતને સાંભળતી નથી, શૃંગારને પહેરતી નથી, તથા માલતી વિગેરેના પુષ્પના સમૂહને બહુ માનતી નથી. કેવળ અશ્વસેન રાજાના પુત્રના નામરૂપી મંત્રાક્ષને જ જીવિતની રક્ષાના કારણ રૂપ હોવાથી વારંવાર એકાગ્ર મનવાળી થઈને વેગને પ્રાપ્ત થઈ હોય તેમ સમગ્ર બહારના વ્યાપારને ત્યાગ કરી સમરણ કરવા લાગી. આવા પ્રકારનું તેણીનું સ્વરૂપ જાણીને પ્રસેનજિત રાજા આ સ્વયં વર થયે એમ જાણીને હે દેવી! તમારી પાસે ઘણા હાથી, અવ વિગેરે સહિત તેને મોકલવા તેયારી કરવા લાગ્યા, તેટલામાં કલિંગ દેશના રાજા અને બીજા પણ સીમાડાના રાજાઓ પ્રગટ ઈર્ષાવાળા થઈ “અમારા જીવતા છતાં જો આવું સ્ત્રીરત્ન બીજે ઠેકાણે જાય છે, તે અમારી શૂરતાની વાર્તા પણ જતી રહી.” એમ વિચારતા તે સર્વે પૂર્વે કરેલી અભ્યર્થના(માગણીને સંભારીને વિલખા થયા, અને સર્વ સૈન્ય સહિત તે નગરીને વીંટીને રહ્યા છે. ત્યારે રાત્રિએ પ્રસેનજિત રાજા પિતાનું સન્મ તૈયાર કરી આક્રમણ કરવાવડે શત્રુઓને ઉપદ્રવ કરવા લાગ્યા. આ પ્રમાણે દુખી અવસ્થા થવાથી સાગરચંદ્ર મંત્રીને પુરૂષોત્તમ નામને હું પુત્ર હે દેવ ! તમારી પાસે આવ્યો છું. હે દેવ! આ વૃત્તાંત સાંભળીને તમને જે કાંઈ ઉચિત લાગે, તે તમે કરો.” આ સાંભળીને અશ્વસેને રાજા પણ કેપ પામે. તથા ભ્રકુટિ ચડાવવાથી ભયંકર મુખવાળા, કોપથી રાતા થયેલ નેત્રને