________________
[ ૯૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ ? પ્રસ્તાવ ર જે :
પદાર્થને જેવાવડે ઉત્તમ ફળને પામી, આજે જ બોલનારાઓને મળે તમારી જ વાણી પવિત્રપણાને પામી છે, અથવા હે નરેંદ્ર પુત્ર! કયું વાંછિત પૂર્ણ નથી થયું?” આ પ્રમાણે તે પથિક બોલતો હતો ત્યારે પ્રતિહારે આવીને વિનંતિ કરી કે-“હે રાજપુત્ર! મોટે કાળ વિલંબ થયો છે, તેથી શંકા પામેલા દેવે તમને બેલાવવા માટે મને મોકલ્યો છે.” તે વખતે તે પથિક પુરુષને હાથવડે ધારણ કરી રાજપુત્ર ઊભો થયે, રાજાની પાસે ગયો, અને પંચાંગ પ્રણામ કરીને ઉચિત આસન ઉપર બેઠો. ત્યારે રાજાએ તેને પૂછયું, કે-“હે પુત્ર! આટલે કાળ વિલંબ થવામાં શું કારણ છે?” તે વખતે રાજાના પગમાં પડીને (નમીને) તે પથિક પુરુષે કહ્યું કે-“હે દેવ! હું જ કારણ છું. ” રાજાએ કહ્યું-“શી રીતે ?” ત્યારે તેણે રાજકન્યાના વરને જેવા પર્યત સર્વ પૂર્વને વૃત્તાંત કહ્યો. તે સાંભળી રાજા હર્ષ પામ્યો અને બોલવા લાગ્યો કે-“ વસંત ઋતુના ઉત્સવમાં લક્ષમી( શોભા)ને સ્થાનરૂપ આ કુમાર કેને સંતોષ ન પમાડે?” ત્યારે રાજલેકે કહ્યું–“હે દેવ! આ એમ જ છે.” ત્યારપછી રાજાએ તે પથિકને કેટલાક દિવસ પોતાની પાસે મોટા આદરપૂર્વક રાખે. પછી કોઈક દિવસે મોટા પ્રાસાદવડે સન્માન કરીને રાજાએ તેને રજા આપી ત્યારે તે રાજાની કીર્તિના કહેવાવડે વાચાળ મુખવાળે તે પાછા વળીને પિતાના નગરમાં ગયે. ચંદ્રકાંત રાજાને પ્રણામ કરી મોટા આદરપૂર્વક રાજપુત્રનો સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને સંતુષ્ટ થયેલા રાજાએ સાંવત્સરિક લેકની પાસે સમ્યફપ્રકારે જવાના દિવસને નિશ્ચય કરીને મેટા અશ્વ, ખચ્ચર, હાથી, રથ અને
ધાના સમૂહ અને કેશ, કેકાર વગેરે સામગ્રી સહિત વિજયા રાજપુત્રીને શુભંકરા નગરીમાં મોકલી. તેણીના આવવાથી પ્રથમ મોકલેલા પુરુષોએ વાવીર્ય રાજાને વધામણી આપી. રાજાએ તેઓને ઇનામ આપ્યું, અને ઊંચી કરેલી વેત ધ્વજાઓના પટના આડંબરવડે આચ્છાદિત, શુદ્ધ કરેલા સર્વ રાજમાર્ગવાળું અને ઠેકાણે ઠેકાણે બેઠેલા કથા કરનાર, તાલ વગાડનાર અને નાચ કરનાર મનુષ્ય વડે મનોહર નગર કરાવ્યું. શુભ મુહૂર્ત રાજપુત્રીએ નગરમાં પ્રવેશ કર્યો. બળવાન હોવડે પ્રધાન (સારા) લગ્નને વિષે મોટી
દ્ધિના વિસ્તારથી તે રાજપુત્રી વજનાભની સાથે પરણી. તે કાળને ઉચિત કાર્ય કરીને વાવીર્ય રાજા નિશ્ચિત થયે. ત્યારપછી કેઈક દિવસે તે મહાત્મા રાજાએ તે પુત્રને પિતાથી દાનવડે, બળવડે, આજ્ઞાન એશ્વર્યવડે, પ્રભુ શક્તિ વડે, મતિના પ્રકર્ષવડે, દુદત (ઉદ્ધત-બળવાન) સામંતને દમન કરવાવડે, સમગ્ર શાસ્ત્રના પરમાર્થના પરિશ્રમવડે અને વૃદ્ધિ પામતા પુણ્ય પ્રતાપના પ્રકર્ષવડે અધિક જાણુને સાવધાન થયેલા નૈમિત્તિકે કહેલા સારા મુહૂર્તને વિષે પિતાના હાથે રાજ્ય ઉપર સ્થાપન કર્યો. ત્યારપછી સમગ્ર રાજલક સહિત તે તેને નમસ્કાર કરી ઉચિત ઉપદેશ આપવા લાગ્ય
“હે વત્સ ! આ પૃથ્વી પીઠ ઉપર નરેંદ્ર શબ્દ કેને પ્રાપ્ત થયો નથી ? દુખે કરીને દમન કરી શકાય તેવા ઇદ્રિના ષવડે કોણ ભ્રષ્ટ થયો નથી ?. અથવા કોણ