________________
0
:
પ્રભુને ચેાથે ભવ-વજના મુનિને ઘેર અટવીમાં પ્રવેશ.
[૫]
વાળા) શરીરવાળો અને સતર સાગરોપમના આયુષ્યવાળે નારકી થયે, અને ત્યાં પરસ્પર નારકીના વિકલા વિરૂદ્ધ રૂપાએ આપેલા તીક્ષણ દુઃખની વેદનાને અનુભવો અને એક નેત્રના મીંચવા જેટલો કાળ પણ સુખને નહીં પામતે ત્યાંથી આયુષ્યના ક્ષયવડે ઉધરીને (નીકળીને ) અકાય, અગ્નિકાય વિગેરે એકેદ્રિયને વિષે તથા જળચર અને સ્થળચર વિગેરે વિકસેંદ્રિયને વિષે કેટલાક લાંબા કાળ સુધી ઉત્પન્ન થઈને તે જ સુકચ્છ વિજય(દેશ)ને વિષે મોટા જવલનગિરિ નામના પર્વતની સમીપે અત્યંત ભયંકર મોટી અટવીને વિષે શબરના (મિલના) કુળમાં અનેક જીવને ક્ષય કરનાર કુરંગ નામને વનચર થયા. તે બાલ્યાવસ્થાને ઓળંગીને અનુક્રમે યુવાવસ્થાને પામ્યા. અને ઘટ્ટ તરછ, વાઘ, રીંછ વિગેરે જેના વધવડે હંમેશાં જીવિકાવૃત્તિને કરવા લાગ્યા. આ પ્રમાણે કેટલાક દિવસો ગયા ત્યારે તે વજ નાભ મુનીશ્વર વીરાસન વિગેરે કર્ણકારક ક્રિયામાં તત્પર, અન્ય જીવોની પીડાના ત્યાગમાં તત્પર અને ગામ, નગર વિગેરેમાં પ્રતિમાને ધારણ કરતા તે જ મેટી અટવામાં આવ્યા, અને ગિરિકંદરાના મધ્યમાં રહેલી ગુફામાં રહ્યા. અને કેઈ એક સમયે જવલનગિરિની પાસે કાર્યોત્સર્ગ ધારણ કરીને મેરુ પર્વતની જેમ નિશ્ચળ રહ્યા. તેટલામાં સૂર્ય અસ્તગિરિ ઉપર ગયે (અસ્ત પામ્ય) તે વખતે આંજણ અને ભેંસના શીંગડા જેવો કાળે અંધકારને સમૂહ વિસ્તાર પામે, બીજાની સમૃદ્ધિ જવાથી દુભાતા દુર્જનના મુખની જેમ ભવનને સમૂહ અંધકારવાળ થયો, અત્યંત દેદીપ્યમાન તારારૂપી નેત્રવાળી રાક્ષસીના જેવી રાત્રિ વિસ્તાર પામી, કામદેવની જેમ મેટી ઔષધીને સમૂહ જાજવલ્યમાન થયે, અને મુનિ લેકની જેમ પક્ષીને સમુદાય પિતાને સ્થાને છુપાઈ ગયે. તથા વળી–
માટે શબ્દ કરતા શરભ(રીંછ)ના સમૂહે હણેલા માતંગના મદરાગને ધરાવનાર, ભમતા મૃગોના શબ્દથી દેદીપ્યમાન થયેલ ભંડેના ભયંકર શબ્દવાળા, સજજ થયેલા પગવડે દેડતા અને ભયંકર શબ્દ કરતા સિંહથી હરણનો સમૂહ જેમાં નાશી જતું હતું એવા, પહોળું મુખ કરતા અજગરેવડે ગળી જવાતા ને લીધે દુઃખે કરીને જોઈ શકાય તેવા, કુદતા, હસતા અને વિલાસ કરતા વેતાલેએ હલલાટ કરેલા અને ભયભીત થયેલા પથિક લકોએ મોટા પર્વતની ગુફામાં શરીરનું સ્થાપન કર્યું હતું એવા તે વિટ વૃક્ષો વડે ગાઢ અટવી વનને જોયા છતાં પણ તે મુનિરાજ જરા પણ ભય પામ્યા વિના ધર્મધ્યાનનું જ ધ્યાન કરવા લાગ્યા. આ પ્રમાણે ધર્મધ્યાનમાં જ એકાગ્ર ચિત્તવાળા તેની રાત્રિ વીતી ગઈ. તેના પાપકર્મના સમૂહની જેમ પ્રભા(અંધકાર)ને સમૂહ નાશ પામે, શુભ અધ્યવસાયના સમૂહની જેમ સૂર્યમંડળને કિરણસમૂહ સ્કુરાયમાન થયે, અને કીર્તિની જેમ દિશાઓ પ્રગટ થઈ. ત્યારપછી સૂર્યના કિરણના પ્રયાણને જાણનારા જીવના સમૂહવાળા પૃથ્વીતળ ઉપર કાર્યોત્સર્ગને પારીને રાજર્ષિ વનાભ યુગપ્રમાણુ ક્ષેત્રને વિષે કઝિને વિષે સ્થાપના કરીને શીવ્રતા અને મંદતા રહિતપણે તે પ્રદેશથી ચાલ્યા.