Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અહિંસા પરમો ધર્મઃ ૫૧ વિના સર્વ પ્રત્યે સમદષ્ટિ રાખું છું, તે મારા વ્રતને જુઓ. ઇષ્ટ, અનિષ્ટ, પ્રીતિ અને રાગથી છૂટું થયેલું
એવું મારું ત્રાજવું સર્વ પ્રાણીઓ પ્રત્યે સમાન છે. ... જેમ વૃદ્ધ, રોગી અને કૃશ મનુષ્ય વિષયો પ્રત્યે નિઃસ્પૃહ હોય છે, એમ અર્થ અને કામના ઉપભોગમાં હું નિઃસ્પૃહ છું— વિગતતૃષ્ણ છું...પ્રાણીઓને
અભય દેનાર ધર્મ જેવો ધર્મ ભૂતકાળમાં થયો નથી અને ભવિષ્યકાળમાં થશે પણ નહિ; તેને અનુસરનારો નિર્ભય પદને પ્રાપ્ત કરે છે...(સામાન્યતઃ) બહિર્મુખ બુદ્ધિવાળા, ચતુર અને સમગ્ર પરિસ્થિતિ અનુસાર તત્વનો નિર્ણય કરનાર વિદ્વાનો, કીતિને માટે જે સહાયવાન હોય કે દ્રવ્યયુક્ત હોય, કિંવા બીજા અન્ય ભાગ્યશાળી હોય તેની શાસ્ત્રોમાં તેનાં સત્કાર્યો માટે, એરણની ચોરી અને સોયના દાન જેવાં ) સ્તુતિ કરે છે. પણ (વસ્તુસ્થિતિ એ છે કે, તપ, યજ્ઞ અને દાન કરવાથી તથા પ્રજ્ઞાયુક્ત વાકયો બોલવાથી જે ફળ મળે છે તે જ મહાફળ અભયદાનથી ભળે છે. જગતમાં જે મનુષ્ય અદક્ષિણા આપે છે, તેને સર્વ યજ્ઞો કર્યાનું ફળ મળે છે. (વધારામાં) પોતાનેય અભયદક્ષિણા મળે છે. પ્રાણીઓની અહિંસાથી શ્રેષ્ઠ કોઈ ધર્મ છે જ નહિ. ૧૦... જે સર્વ પ્રાણીઓનો આમાં બન્યો છે, જે પ્રાણીઓને સમ્ય જુએ છે, એવા (પરમ) પદના અભિલાષી છતાં પદ વિનાના–પગલાંની, રસ્તાની નિશાની વિનાના--પુરુષની ગતિથી દેવો પણ મોહ પામે છે.” ૧૨ પછી “આ અભયદાનનો અહિંસક ધર્મ બહ અપલાપ કરનારાથી–બહનિદ્વવથી જાણી શકાતો નથી, પણ આચારથી જાણી શકાય છે.”૧ર એમ કહી આગળ ચાલતાં તુલાધાર બોલ્યો, “જેઓ પશુઓનાં વૃષણ કાપે છે—–ખસી કરે છે, નાથે છે, બહુ ભાર ઉપડાવે છે, બાંધે છે, દુઃખ દે છે અને કેટલાક તો મારી નાખીને માંસ પણ ખાઈ જાય છે, તેની તું કેમ નિન્દા કરતો નથી ? (અને મારા અહિંસક વ્યાપારને નિદે છે 2)” વળી આગળ ચાલતાં અત્યારના યુગમાં, ગુલામી જવા છતાંય નોકરો પ્રત્યે ગુલામ જેવું વર્તન રાખતા શેઠિયાઓએ ધ્યાનમાં રાખવા જેવાં વચનો ઉચ્ચારીને આ અહિંસક વણિકે કહ્યું, “કેટલાક મનુષ્યો મનુષ્યોને જ ગુલામ બનાવીને તેમની પાસે વૈતરું કરાવે છે. વળી એ લોકો મરણતોલ માર મારવાથી થતું દુઃખ જાણે છે, છતાં રાતદિવસ માર મારી આ
सर्वेषां यः सुहृन्नित्यं सर्वेषां च हिते रतः । કર્મળા મનસા વાવ સ ધર્મ વેદ નાના | મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪-૯ नानुरुध्ये विरुध्ये वा न द्वेष्मि न च कामये ।
મોડ િસર્વભૂતેષુ પર મે નાના વ્રતમ્ | મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪–૧૧ इष्टानिष्टविमुक्तस्य प्रीतिरागबहिष्कृतः । તુ મે સમૂતેષુ સમા તિgત જ્ઞાન ને મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪–૧૨ सहायवान्द्रव्यवान्यः सुभगोऽन्योऽपरस्तथा । ततस्तानेव कवयः शास्त्रेषु प्रवदन्त्युत । વીર્યમપદ્ધસ્થા દવઃ નિર્બયાઃ | શાતિપર્વ ૨૫૪–૨ ૭. लोके यः सर्वभूतेभ्यो ददात्यभयदाक्षणाम् । स सर्वयशैरीजानः प्राप्नोत्यभयदक्षिणाम् । ન મૂતાનામહિંસાયા કથાકાપડરિત વેશ્ચન મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪-૨૯. सर्वभूतात्मभूतस्य सम्यग्भूतानि पश्यतः । વાઈપ મા મુનિત અદ્રશ્ય પદ્વપિn: 1 મહાભારત, શાન્તિપર્વ, ૨૫૪-૩૨. सूक्ष्मत्वान्न स विज्ञातुं शक्यते बहुनिहवः ।। ૩પપ્પાન્તર1 વાગ્યાનાવારનવવું ધ્યત | શાન્તિપર્વ, ૨૫૪-૩૬.
१२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org