Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૨૧
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી
प्रशस्तिलेखाङ्क-१० पूर्वे दीपस्पर्द्धिपारेऽन्धकारे यं पश्यन्ति ज्योतिरन्तर्मुनीन्द्राः । વિશ્વાસમાં લેવામાં તકે જૂદાન યા : રાશા | नेन्दोः कला न गिरिजा न कपालशुक्तिोंक्षा न भस्म न जटा न भुजङ्गहारः । यात्रास्ति नान्यदपि किञ्चिदुपास्महे तद्रपं पुराणमुनिशीलितमीश्वरस्य ॥२॥ एकस्त्रिधा हृदि सदा वसति स्म चित्रं यो विद्विषां च विदुषां च मृगीदृशां च । तापं च सम्मदभरं च रतिं च सिञ्चन् सू( ? शौ)ोष्मणा च विनयेन च लीलया च ॥३॥ विच्छायतां झगिति निःश्वसितेन निन्युर्यस्यारिवारिजदृशस्त्रयमायतेन । भर्तुर्यशश्च वदनं च कलङ्कशून्यशीतांशुबिम्बसदृशं मणिदर्पणं च ॥४॥ शीलेति शीलरुचिराभरणा कलत्रं यस्याभवज्जलनिधेरिव जलकन्या । व्योमेन्द्रनीलमुकुरान्तरु(? र)रुन्धतीयं यस्या जनेन कृतिना प्रतिमेति मेने ॥५॥ इति मान्धातृनगरमडेश्वरप्रशस्तिकाव्यानि ॥ छ । शुभं भवतु श्रीसङ्घस्य इति भद्रम् ॥छ॥
ઉપર જણાવેલા દશ પ્રશસ્તિલેખોનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે :
પ્રશસ્તિલેખાંક ૧? આ પ્રશસ્તિના કર્તા આચાર્યશ્રી નરેન્દ્રપ્રભસૂરિ છે. અહીં વસ્તુપાલને વીર, વિવેકી, જનરક્ષક, વિરોધિ-અવિરોધિ જનોને દાન આપનાર, સર્વતોમુખીકીર્તિવાળો અને ભાગ્યવાનું જણાવ્યો છે. ઉપરાંત અહીં એ પણ જણાવ્યું છે કે તેના વિદ્વાનોની પત્નીઓ મણિમોતીઓનાં આભૂષણો પહેરતી અને તેના સેવકો પણ દાનશીલ હતા.
પ્રશસ્તિલેખક ૨ઃ આ પ્રશસ્તિના કર્તા વસ્તુપાલના ગુરુનાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિના શિષ્ય આચાર્યશ્રી ઉદયપ્રભસૂરિ છે. અહીં ગિરનાર, શ્રીનેમિનાથ અને શ્રી આદીશ્વર ભગવાન પ્રતિ ભક્તિભાવ વ્યક્ત કરીને વસ્તુપાલની દાનશીલતા અને ધાર્મિકતા જણાવી તેને દીર્ધાયુ થવાની આશીષ આપી છે.
પ્રશસ્તિલેખાંક ૩: આ પ્રશસ્તિ ગૂર્જરેશ્વરપુરોહિત સોમેશ્વરદેવે રચેલી છે. આનાં કેટલાંક પદ્યો સોમેશ્વરદેવરચિત કીર્તિકૌમુદી તથા લૂણવસહી(આબૂ)ની પ્રશસ્તિમાં મળે છે. વસ્તુપાલના દીર્ધાયુની આશિષ આપવા ઉપરાંત પાંડિત્ય, દાનશીલતા, અ૫કારક ઉપર ઉપકારીપણું, આભ-પરભવની સ્થિતિનું ચિંતન, યુદ્ધમાં હતાશ શત્રુઓ પ્રત્યે અનુકંપા, વિવેકીપણું, ધાર્મિકતા, અધિકારનો સદુપયોગ સદાચારીપણું યુદ્ધજય વગેરે વસ્તુપાળને લગતી હકીકતોનું હૃદયંગમ વર્ણન આ પ્રશસ્તિમાં છે. ઉપરાંત, તેજપાલ અને જયંતસિંહની દાનશીલતા તથા વસ્તુપાલના પ્રત્યેક કાર્યમાં તેજપાલના સાહચર્યનો ઉલ્લેખ પણ આ પ્રશરિતમાં છે.
પ્રશસ્તિલેખાંક ૪: આના રચયિતા કવિ સાર્વભૌમ હરિહર પંડિત છે. આ પ્રશસ્તિમાં વસ્તુપાલની દનશીલતા અને યશસ્વિતાને સુંદર રીતે વર્ણવીને તેની કીર્તિની વ્યાપકતા જણાવી છે. વસ્તુપાલે સંગ્રામસિંહને પરાજિત કર્યાનો ઉલ્લેખ પણ અહીં છે. વસ્તુપાલે કરેલા શંખનૃ૫ પરાભવના પ્રસંગને વર્ણવતું શંખપરાભવ નાટક આ હરિહર પંડિતે રચ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org