Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૫૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
તપપરાયણ; (૪૨) સ્વાધ્યાયપરાયણ; (૪૩) જ્ઞાન એ જ સંન્યાસ છે, એમ કહેનારા; અને (૪૪) સ્વભાવ છે એમ કહેનારા ભૂતચિન્તકો–ભૌતિકવાદીઓ.૨ ૩
આમ અનેક પ્રકારે ધર્મબોધ કરવામાં આવે છે, એટલે હું સુરસત્તમ ! અમે કંઈ નિશ્ચય કરી શકતા નથી. જનસમાજ, ‘ આ શ્રેય છે, આ શ્રેય છે,' આવા મતો સાંભળી વિચલિત થયો છે. અને જે મનુષ્ય જે સંપ્રદાયમાં હોય છે, તે સંપ્રદાયવાળાનો જ એ સત્કાર કરે છે ! એટલે અમારી પ્રજ્ઞા મૂંઝાઈ છે, તથા અમારું મન અનેક પ્રકારનું–ચંચળ, બની ગયું છે. તો હે સત્તમ ! ‘ શ્રેય’ શું છે તે કહો.”૨૪
એટલે લોકરક્ષક ધર્માત્મા બ્રહ્મદેવે સર્વ મતોનો ગોટાળો દૂર કરતું પ્રવચન કર્યું. તેમાં શરૂઆતનાં એ વચનોમાં સમગ્ર ધર્મતત્ત્વનો સાર મૂકી દીધો :
(c
हन्त वः संप्रवक्ष्यामि यन्मां पृच्छथ सत्तमाः ।
समस्तमिह तच्छ्रुत्वा સભ્યોવવધાયતામ્ || મહાભારત, આશ્વમેધિકપર્વ, ૪૯-૧.
હે સત્તમો ! તમે મને જે પૂછ્યું તે તમને સારી રીતે કહીશ. એ સર્વ સાંભળીને તમે સમ્યક્ વિચાર કરો.
૨૩
अहिंसा सर्वभूतानामेतत्कृत्यतमं मतम् । તત્વનદ્ધિનું રિત્રં ધર્મજ્ઞળમ્ ॥ ૪૯-૨ ज्ञानं निःश्रेय इत्याहुर्वृद्धा निश्चयदर्शिनः । तस्माज्ज्ञानेन शुद्धेन मुच्यते सर्वपातकैः ॥ ४८-3
“ સર્વ ભૂતો પ્રત્યે (આચરેલી) અહિંસાને સર્વશ્રેષ્ઠ કૃત્ય માનેલું છે. આ પદ ઉદ્દેગરહિત છે અને વરિષ્ઠ ધર્મલક્ષણ છે. તથા પરમ કલ્યાણકારી જ્ઞાન છે એમ નિશ્ચયદર્શી વૃદ્ધો-સિદ્ધાંત સ્થાપનારા ઋષિઓ કહે છે. માટે શુદ્ધ જ્ઞાનથી ( = આવી આચરેલી અહિંસાથી) મનુષ્ય સર્વ પાતકથી છૂટે છે.”
૨૪
આમ મતપંથોના જાળાંથી ઊભા થયેલા જબરદસ્ત ગૂંચવાડાને પાર કરવા માટે અહિંસા-સર્વત્ર સમાનભાવે પ્રેમભાવ, એ એક જ આચરણીય મૂળભૂત ધર્મ, પરમ ધર્મ તરીકે મહાભારતકારે જણાવીને, અહિંસાને આત્માને ઊંચે લઈ જનાર મહાશક્તિ તરીકે સ્વીકારી છે. એ મહાશક્તિ વીર્યવાન છે છતાં હજુ સુધી એનું અલ્પતમ ભાન પણ સામાન્ય રીતે મનુષ્યોને નથી. એના સ્વપાતિસ્વલ્પ પણ ન કહેવાય
(i) મહાભારત, આશ્વમેધકપર્વ, ૪૮–૧૪થી ૨૪. આ ૪૮ મા અધ્યાયમાં શ્લોક ૧થી ૧૨ સુધી, બ્રહ્મને અન્યક્ત, અનામય, પુરુષ, સત્ત્વ ઈત્યાદિ રીતે ઓળખનારા ભિન્ન ભિન્ન મતો જોવા મળે છે. તેના અનુસંધાનમાં આ શ્લોક ૧૪થી ૨૪ સુધીમાં ચાર્થંક, તાર્કિક, મીમાંસક, શૂન્યવાદી બૌદ્ધો, વિજ્ઞાનવાદી બૌદ્ધો, અદ્વૈતવાદી, દ્વૈતવાદી, ભેદાભેદવાદી, વૈશેષિકો, કાલવાદીઓ, સ્યાદ્વાદી, તૈર્થિક, યોગાચારી, પરમાણુવાદી વગેરે મતોનો ઉલ્લેખ કરી તેના ગૂંચવાડામાંથી કેમ છૂટવું તે પ્રશ્ન ઉઠાવ્યો છે.
(ઘ) જૈન સંદર્ભો ઉપરથી ૩૬૩ ધર્મપંથો-પાષણ્ડો-ના ઉલ્લેખ મળે છે. ૧૮૦ ક્રિયાવાદી (=આત્મવાદી), ૮૪ અક્રિયાવાદી (=અનાત્મવાદી), ૬૭ અજ્ઞાનવાદી, ૩૨ વૈયિક (=વિનયવાદી)—સર્વધર્મસમભાવી. કુલ ૩૬૩. જુઓ ‘ નન્દી સૂત્ર ’ સૂત્ર ૪૬,‘ શ્રુતજ્ઞાનાધિકાર’માં દ્વાદશાંગી વર્ણનમાં; ‘ સૂત્રકૃતાંગ' પ્રથમ શ્રુતસ્કન્ધ, બારમું અધ્યયન; ‘ આચારાંગ ’ પ્રથમ શ્રુતસ્કન્ધ ૧-૧૦૩ની નિયુક્તિમાં પણ ૩૬૩ મત વિશે વિવેચન છે.
(i) બૌદ્ધ સંદર્ભો ઉપરથી પાલિ સાહિત્યના કાળમાં બૌદ્ધધર્મ સહિત જુદા જુદા ૬૩ પંથો હયાત હતા એમ જણાય છે. જુઓ · સુત્તનિપાત ’માં · સભિચસુત્ત ' ગાથા ૨૯; ‘દીધનિકાય ’માં ‘ બ્રહ્મનલસુત્ત ' ૧-૧-૨; · બુદ્ધચરિત ’ (ધર્માંનન્દ કોસામ્બીકૃત) પૃ૦ ૧૧૫.
'
મહાભારત, આશ્વમેધપર્વ, ૪૮-૨૫થી ૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org