Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અહિંસા પરમો ધર્મ : ૨૫ એવા આચરણે દેશને આઝાદી અપાવી છે, એમ ગાંધીજીએ નોંધ્યું છે. ૨૫ અને મહાભારતકાર તો અહિંસાથી સર્વને પ્રેમમાં લપેટતી વિશાળ ધર્મશક્તિને વર્ણવતાં કહે છે: “જેમ હાથીના પગલામાં બીજા સ ચાલનાર પ્રાણીઓનાં પગલાં સમાઈ જાય છે, તેમ અહિંસામાં સકલ ધર્મનો અર્થતત્ત્વ સમાઈ જાય છે. (આમ સમજીને) જે અહિંસાનું પ્રતિપાદન કરે છે તે નિત્ય અમૃતમાં અર્થાત્ મોક્ષમાં વસે છે.”૨ ૬
આનો અર્થ એ છે કે, અહિંસા એટલે હિંસા કરવી નહિ” એવો અભાવાત્મક વિચાર નહિ, કોઈ પણ પ્રાણીને દુઃખ ન દેવું એટલું જ નહિ, પણ સત્યશોધન માટે અર્થાત્ આત્મસાક્ષાત્કાર માટે, પ્રેમસાગરમાં લીન થવાની એવી પ્રક્રિયા કે જેમાં કરુણામૂલક સર્વને હિતકારી પ્રવૃત્તિ કરવાનો પણ ભાવ છે. તેથી તેમાં કોઈનું બૂરું કરવાનો કે ઇચ્છવાનો, કોઈનેય દુઃખ દેવાનો, કોઈનોય પ્રતિકાર–ષમૂલક પ્રતિકાર, કરવાનો એમાં અવકાશ નથી. આવી અહિંસા સિદ્ધ કરનાર મહાવીર છે. કારણ કે તેની સહાયમાં મહાન ઈશ્વરી શક્તિ અહિંસા સદાય ઊભી હોય છે. જેને લીધે મરણ કે જીવન જે આવે તેને એ શાન્તિ અને સમતાપૂર્વક ભેટવાને તૈયાર હોય છે. વેદવ્યાસે આ વીરની અહિંસાની શ્રેષ્ઠ કર્તવ્ય” અને “પરમ ધર્મ' તરીકે સ્તુતિ કરી છે, અને પ્રતિષ્ઠા કરી છે.
2x
() Vide, Non-violence in Peace & War Vol. II (Gandhiji) Vol. II, Chapter 200, p. 327, 328. (૩) સર૦ “., સત્યમય થવાને સારુ અહિંસા એ એક જ માર્ગ છે એમ આ પ્રકરણોને (“આત્મક્યા’નાં) પાને પાને ન દેખાયું હોય તો આ પ્રયત્ન વ્યર્થ સમજું છું... અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે, અને નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી એ અનુભવસિદ્ધ વાત છે.” “આત્મકથા” (-ગાંધીજી, ૫ મી આવૃત્તિ, સં. ૧૯૯૦) પૃ. ૩૭૮, ૩૮૦. (T) સર ... છતાં અહિંસાને સાધન ગણીએ, સત્યને સાધ્ય ગણીએ. સાધન આપણા હાથની વાત છે તેથી
અહિંસા પરમ ધર્મ થઈ, સત્ય પરમેશ્વર થયું..” “મંગળપ્રભાત” (-ગાંધીજી ૬ઠ્ઠી આવૃત્તિ) પૃ૦ ૭. મહાભારત, શાતિપર્વ, ૨૩૭–૧૮, ૧૯, ૧૯ = અનુશાસનપર્વ ૧૧૫-૬; “યોગશાસ્ત્ર' (૨-૩૦) ઉપરની વૃત્તિમાં નાગોજી ભટ્ટ અને વ્યાસભાગ્ય’માં વ્યાસે આ વચન (શાન્તિપર્વ ૨૩૭–૧૮; અનુશાસન ૦ ૧૧૪-૬) ટાંકેલું છે.
૨૬
Rી .
હe
Sી .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org