Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વાચક મેઘરાજકૃત નલદ્દેવદંતી ચરિત ઃ ૧૭૯ જૈન પરંપરાની નલ-કથા પ્રમાણે દવદંતી અચઢપુરની પાદરે એક વાવને કાંઠે બેઠી હતી એવું વર્ણન છે. પણ કવિ મેઘરાજે દવદંતી સરોવરની પાળે બેઠી હતી એવું વર્ણન કર્યું છે. જૈન પરંપરાને નલકથા પ્રમાણે ઋતુપર્ણ રાજાને ત્યાં દવદંતી પહોંચી ત્યારે દાનશાળા ચાલતી જ હતી. પરંતુ કવિ મેઘરાજે વર્ણન કર્યા પ્રમાણે ઋતુપર્ણ રાજા મોટી દાનશાળા ચાલુ કરવાનું દવદંતીને કહે છે. આ વર્ણન પ્રમાણે પણ ત્યાં દવદંતીને કોઈ ઓળખી શકતું નથી અને કવિએ પણ એ જ પ્રમાણે બતાવ્યું છે, છતાં ઋતુપર્ણ રાજા દવદંતીને “ભીમી કે “દવદંતી' એવું સંબોધન કરીને વાત કરે છે એવું કવિથી બતાવાઈ ગયું છે, જેથી ત્યાં ગંભીર ક્ષતિ જણાય છે:
અન્યદા તે રાજા ઋતુપર્સ,
બોલ્યો નરપતિ અતિ સુવર્ચન. પુત્રી ભીમી સાંભળ વાત,
વચન એક બોલું છું સાચ. લખમી મારે ઘરે છે ઘણી,
આરતિ ચિંતા સર્વ અવગુણી. માંડ મોટી એક દાનશાળા,
દીજે પુત્રી દાન રસાળાં.
એહ વચન સાંભળ દવતી,
દાન દિયો અતિ મનની ખંતિ. નગર તણે બાહર એક કરી,
દાનશાળા માંડી ધન ભરી. બીજા ગૌણ પ્રસંગોને ટૂંકાવનાર આ કવિએ પિંગળ ચોરનો પ્રસંગ વિસ્તારથી આલેખ્યો છે, અને સુસંગતિ અને દુસંગતિ તથા સુગતિ અને દુર્ગતિ વિશે સદષ્ટાને ઉપદેશ દવદંતી પાસે પિંગળ ચોરને અપાવ્યો છે. દુસંગતિ અને સુસંગતિ વિશેની કવિની સોદાહરણ માર્મિક પંક્તિઓ જુઓ :
કુસંગતિના સુણ અવદાર, ઉત્તમને કોઈ પૂછે વાત, લીંબ સમીપે ઊગ્યો અંબ, ફળ કડવાં થાયે અવિલંબ. ઉદધિ બંધાણે રાવણ સંગે, પોપટ વંઠયો ભીલ પ્રસંગે; ઘટિકા ચોરે પાણું જાત, રીજે ઝાલર દિનરાત. મીઠો દાસી ખેં મેં કરે, તિમ તિમ વાનર ચિત્તે કરે; કિંઘહુના દીસે પર-લોય, કહિ કુસંગતિ ભલી ન હોય. કહિયે કુસંગતિ રૂરિ નહિ, ગાયે લક્કડ ઘંટા વહી; માકણ સંગે જ નિરવંશ, કાગ પ્રસંગે મરાણે હંસ. ઈત્યાદિક દૃષ્ટાંત અનેક, કુસંગતિ વારો ધરિ વિવેક;
સાધુ સંગતિ કરે નિરમળી, જેહથી પહુચે મનની ફળી. સુસંગતિ વિશે દવદંતી કહે છે :
મેરુ ઉપર જ ઊગ્યાં તૃણ, ઉપમા પામે કંચન તણાં; મલયાચળની સંગતિ જોય, વૃક્ષ ઘણાં ચંદનમય હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org