Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સ્થૂલિભદ્રવિષયક ત્રણ ફાગુકાવ્યો: ૧૪૯ રાગીમાંથી વિરાગી બને છે; નેમિનાથને રોગયુક્ત જીવન જીવવાનો અવસર આવતો નથી.
સ્યુલિભદ્રને રાગભરી કોશાનો સામનો કરવો પડે છે; આવો સામનો નેમિનાથને કરવો પડતો નથી. રાજુલને નેમિનાથ પ્રત્યે એકનિષ્ઠ–કદાચ ભક્તિભાવની હદે પહોંચતો-સ્નેહ છે પણ એનામા કોશાના જેવી પ્રભુતા, વિદગ્ધતા, તરવરાટ કે આગ નથી. ઉપરાંત, સ્થૂલિભદ્રવૃત્તાંતને એના પિતાનાં જીવનની અભુત, રસિક અને રોમાંચક પ્રસંગોની ભૂમિકા પણ મળી રહે છે. આમ વૃત્તાન્તના જુદા જુદા અંશને ઉઠાવ આપીને રચનાવૈવિધ્ય દર્શાવી શકાય. એવી સામગ્રી સ્થૂલિભદ્રવૃત્તાંતમાં રહેલી છે. થયું છે પણ એવું જ. મધ્યકાલીન ગુજરાતીનાં યૂલિભદ્રવિષયક કાવ્યોમાં કેટલું બધું સ્વરૂપવૈવિધ્ય દેખાય છે! એમાં કોશાના ઉદગારો રૂપે નાનકડાં ઊર્મિગીતો છે, સ્થૂલિભદ્રની પ્રશસ્તિરૂપ, કે વૈરાગ્યબોધની સઝાય છે, કોશાના વિપ્રલંભશંગારના વર્ણનનાં બારમાસી કાવ્ય અને નવરસ કાવ્યો છે, ઈષિત કથાતંતુનો ઉપયોગ કરતાં ફાગુઓ અને શીયળવેલી છે તથા વિસ્તૃત કથાપ્રપંચવાળા રાસ પણ છે. એક જ વસ્તુને અનેક કવિઓ હાથમાં લે ત્યારે દરેક કવિની નજર એ વસ્તુનાં ક્યાં બિંદુઓ પર ઠરે છે અને એને એ કેવી રીતે વિકસાવે છે એનું સમાંતર અવલોકન કરવું રસપ્રદ થઈ પડે. પણ પ્રતિનિધિરૂપ કૃતિઓ પ્રગટ ન થઈ હોય ત્યાંસુધી આવું અવલોકન અધૂરું જ રહે. તેથી આપણે અહીં નામે એક જ કાવ્યપ્રકારની, પણ રચનાનું વિલક્ષણ વૈવિધ્ય દર્શાવતી ત્રણ જ કૃતિઓનું તુલનાત્મક નિરીક્ષણ કરીશું. એ ત્રણ કૃતિઓ છેઃ (૧) જિનપદ્મસૂરિકૃતિ સ્થૂલિભદ્ર ફાગુ (સં. ૧૩૯૦–૧૪૦૦), (૨) જ્યવંતસૂરિકૃત યૂલિભદકોશા પ્રેમવિલાસ ફાગ (સં. ૧૬૧૪ આસપાસ), (૩) માલદેવકૃત સ્કૂલિભદ્ર ફાગ (વિક્રમના ૧૭માં શતકનો પૂર્વાર્ધ).
ફાગુને આપણે વૃત્તાન્તને સ્વલ્પ આધાર લઈ પ્રકૃતિની–ખાસ કરીને વસંતઋતુની ભૂમિકામાં માનવપ્રણયનું આલેખન કરનાર કાવ્યપ્રકાર કહી શકીએ. આ વ્યાખ્યામાં ન આવી શકે એવી “ફાગુ” નામની સંખ્યાબંધ કૃતિઓ મળતી હોવા છતાં, શિષ્ટ નમૂનારૂપ ફાગુકાવ્યોનું આંતરસ્વરૂપ આ વ્યાખ્યાની નિકટનું હોય છે એમ જરૂર કહી શકાય. જૈન ફાગુઓ, આ વ્યાખ્યાની અંદર રહીને કે બહાર જઈને પણ કેટલીક આગવી લાક્ષણિકતાઓ ઉપજાવે છે એ નોંધવા જેવી છે. એક તો, જૈન ફાગુઓનો અંતિમ ઉદ્દેશ, એમાં રતિનું આલેખન કેટલીકવાર તો ઘેરા રંગે થતું હોવા છતાં, આપણને વિરતિ તરફ લઈ જવાનો હોય છે. આથી જૈન ફાગુઓ શુદ્ધ શૃંગારકાવ્યો બની શકતાં નથી. કાવ્યનો વિષય કે એમાંની ઘટના જ સંયમધર્મની બોધક હોય છે, જેમ અહીં સ્થલિભદ્રનું ચરિત્ર સંયમધર્મનું બોધક છે. છતાં જિનપદ્મસૂરિ જેવા સ્થલિભદ્રના કામવિજયની સંક્ષેપમાં પ્રશસ્તિ કરી, કે એને મુખે સંયમધર્મનો મહિમા પ્રગટ કરી અટકી જાય છે, ત્યારે માલદેવ જેવા “નારીસંગતિ ટાળો” એવો સીધો ઉપદેશ આપવા સુધી પણ પહોંચી જાય છે. તો વળી જયવંતસૂરિ જેવા આ બાબતમાં અત્યંત નોંધપાત્ર રીતે જુદા તરી આવે છે. એમનું કાવ્ય પૂલિભદ્ર–કોશાના મિલન આગળ અટકી જાય છે એટલે કામવિજય દર્શાવવા સુધી તો એ
જુઓ, “જૈન ગુર્જર કવિઓ” ભા. ૧, ૨, ૩માં પાછળ કૃતિઓની સૂચિમાં. એ માહિતી જોકે અપૂરતી અને
અશુદ્ધ પણ છે. ૩ ત્રણે કાવ્યો “પ્રાચીન ફાગુ સંગ્રહ (સંપા. ડૉ. ભોગીલાલ સાંડેસરા અને સોમાભાઈ પારેખ)માં કમાંક (૧),
(૨૬), (૨૮)થી સ્પાયેલાં છે, અહી એ સંપાદનનો જ, પાઠાંતરો સાથે, ઉપયોગ કર્યો છે. અનુવાદ કયાંક મુક્ત પણ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org