________________
૪૨ ]
જીવન સાફલ્ય
ગરીમ માણસ પણ મનથી શ્રીમંત બની શકે છે, એમ તે ઘણી વાર કહેતી.
એકવાર દૂરના એક સગાએ મને આઠ આના વાપરવા આપ્યા. એ આઠ આના લઈને રાજી થતા જ્યારે હું મા પાસે ગયા, ત્યારે એનું માં એકદમ ઉતરી ગયું, એ ખેલી: ખસ! પૈસા તે લીધા જ કેમ ? મફ્ત મળે એટલે લઈ લેવું? તને લાંખા હાથ કરતાં શરમ ન આવી? ' શાંત કરૂ ા ખાના ચહેરા ઉપર ક્રેાધની લાલાશ તરવરી રહી હતી.
‘હું કંઈ ચારી કરવા નહાતા ગયા, મને આપ્યા ને મેં લીધા. ' ક્ષમા યાચતા હો. એમ હું કરગર્યાં.
"
ચારી નહિ તા ભિક્ષાવૃત્તિ! આજે પૈસાના લેાભ વળગ્યા, તા કાલે ચારી કરતાં કે ભીખ માંગતાં તને સ`કાચ નહિ થાય. ’ ખાએ કહ્યું.
પૈસા કરતાં પણ વૃત્તિની મલિનતા સામે મારી આના વિરાધ હતા. એ કહેતી કે, ઢાઈ ચીજ કે પાઇ–પૈસા મ આપે તે આપણાથી એ ન લેવાય. આપણે કઈ ભિખારી કે અનાથ નથી. આજથી જ તે આવું આમ તને લેવાની ટેવ પડે તા સ્વમાનનું સ્થાન રાંકપણું-દીનતા પડાવી લે. માણસ માત્રમાં સ્વમાન તા જોઈએ.’
અમારા કુમળા હૈયામાં એ સ્વમાનના સંસ્કાર સીંચતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ લિંકને કહ્યું છે કે, ૮ મારામાં જે કંઈ સારૂં છે તે મારી માતા પાસેથી આવ્યું છે.