Book Title: Jivan Safalya
Author(s): Vijaykirtichandrasuri, Kiranbhai
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyan Mandir

View full book text
Previous | Next

Page 151
________________ ૧૪૦ ] જીવન સાફલ્ય mmmmmmmmmmomnunununun થાય છે. મંત્ર અને તંત્ર તપથી જ ફળીભૂત થાય છે. આ લેક અને પરલોકમાં તપના પ્રભાવથી જ અનેકવિધ સંપત્તિઓ સાંપડે છે અને તપની આરાધનાથી વિપત્તિઓ ચાલી જાય છે. ભવરોગ અને ભાગ રૂપે કર્મનો જડમૂળથી નાશ કરવામાં તપ એ અપૂર્વ ઔષધ રૂપ છે. આત્માને નિર્મળ અને ઉચ્ચતમ બનાવનાર તપ છે. અસાધ્યમાં અસાધ્ય રોગો પણ તપ વડે જ નિર્મૂળ થાય છે. તલેગામ ઢમઢેરાને બનેલ એક સત્ય પ્રસંગ છે. એક પ્રાઢવયના સર્જનને વર્ષો જૂને ડાયાબીટીસનો રોગ હતું. આ સજજને અનેક ડોકટરો, વિદ્યાની દવા કરી. કેટલાય ઔષધેનું સેવન કર્યું, અનેક ઉપચારો કર્યા, પણ રોગ ન મટ્યો. અંતે કંટાળીને આ સજજન ખૂબ જ નિરાશ બની ગયા. કમનો ઉદય માની શાંતિથી બેઠા. એક વખત ગામમાં એક તપસ્વી મુનિ મહારાજની પધરામણી થઈ. વ્યાખ્યાનને વિષય “તપની મહત્તા” ને હતે. આ સજજને પણ વ્યાખ્યાન સાંભળ્યું. તપથી ઘર ચીકણું કર્મો નાશ પામે છે એ જાણીને તથા તપના પ્રભાવને દર્શાવનારા અનેક દષ્ટાંતે સાંભળીને આ ભાઈ પ્રભાવિત થયા. તપસ્વી મુનિશ્રીની દલીલોથી ભરપૂર પ્રભાવપૂર્ણ વાણીનું શ્રવણ કરી આ ભાઈએ તપ કરવાનું નક્કી કર્યું.

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182