Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯ પ્રગતિના પથ પર આ એક પુનિત ત્રિવેણી :
-પૂ. આ. શ્રી વિજય કનકચંદ્ર સૂ, મ..
આ સંસારમાં જાતજાતની અને ભાતભાતની વ્યકિતઓ વસવાટ કરે છે. આ રે બધી જ વ્યકિતઓમાં એક સામાન્ય સમાનતા તમને જોવા મળશે : કઈ પણ વ્યકિત પછી તે નાની હોય કે મેટી, પોતાનો ઉત્કર્ષ સાધવાની અભિલાષા સેવે છે. માનવ માત્ર ઉન્નતિ માટે, પ્રગતિ માટે, ક્રાંતિ માટે, ઉત્ક્રાંતિ માટે અને વિકાસ માટે એક અવિર મ પિપાસા સેવે છે.
આજે દશે દિશામાંથી લોકોને પિકારી, પિકારીને કહેવામાં આવે છે કે, પ્રગતિના વિશાળ રાજમાર્ગ ઉપર આ વિશ્વ પૂર ઝડપથી આગળ વધી રહ્યું છે. અમુક અશે આ વાત એગ્ય પણ છે. વિજ્ઞાન અને ભૌતિક ક્ષેત્રમાં વિવે આશ્ચર્યકારક પ્રગતિ કરી છે. વિજ્ઞાન દિન-પ્રતિદિન આગેકૂચ કરી રહ્યું છે. નિતનવા ફેરફાર થઈ રહ્યા છે. કરોડો રૂપિયાને ધૂમાડે કરીને, સંસારના મહાન ગણાતા રાષ્ટ્રો એક-મેકને પછાડવાની સ્પર્ધામાં રાત-દિવસ, તનતોડ મહેનત કરી રહ્યા છે. માનવી મંગલ ગ્રહ | પર પહોંચવા અને ચંદ્રકમાં વિહરવા માટે તલપાપડ થઈ ગયો છે.
રેકેટ, ઉપગ્રહ અને અંતરિક્ષ યાનની મદદથી માનવી આકાશમાં તરવાને [ પ્રયાસ કરે છે.
સાચા અર્થમાં જોઈએ તે માનવીને પૃથ્વી પર પણ ચગ્ય રીતે રહેતા આવ ડતું નથી. આ ઉણપને નિવારવાને બદલે ચંદ્રલોકમાં પહોંચવાની યોજનાઓ ઘડવામાંથી તે ઉંચે આવતું નથી. માણસના પગ જમીન ઉપર ડગુમગુ થઈ રહ્યા છે, તેને કે સ્થિર કરવાને બદલે તે ચંદ્રલોકમાં પગલા ભરવા માટે અધીર બની ગયું છે. આ 5 વાત તમને આશ્ચર્યકારક નથી લાગતી શું ?
(ક્રમશ:)
– લોભની લપસામણું – કિચાકિઐવિવેય, હસુઈ સયા જે વિડંબણુ હે!
તં કિર લેહ પિસાયં, કે ધીમે સેવએ લએ ? હમેશા જે (અનેક પ્રકારની વિટંબણાઓનું (મૂળ) કારણ છે, કૃત્યા અને અકૃત્યના વિવેકને હણી નાંખે છે, તે લોભ રૂપી પિશાસને લેકમાં ક્યો બુદ્ધિમાન સેવે ? અર્થાત કઈ જ બુદ્ધિમાન ન સેવે !