Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે લઘુબંધ કથા :
: સમજુને શિખામણ શાનમાં છે
– પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી મ. જ
પૂજ્યપાદ મહામહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાનું નામ જેન–જેનેતર 2 વિદ્વાનમાં સુપ્રસિદ્ધ છે. સર્વમુખી પ્રતિભા સંપન્ન અને કિંગ્ગજ મૂર્ધન્ય વિદ્વાન છે એવા તે શ્રી મહાપહોપાધ્યાયજી મહારાજા કાશીમાં ભણી-ગણીને પ્રકાન્ડ પંડિત બનીને એ આવ્યા છે. સરસ્વતી પુત્ર એવા તેમનું વ્યાખ્યાન શ્રવણ પણ જીવનને અદભૂત લહાવે છે ઇ મનાતું. એકવાર ખંભાતમાં તેઓ બિરાજમાન હતા અને રોજ શ્રોતાઓને શ્રી જિન- ૪ છે વાણીના મર્મો સમજાવી રહ્યા હતા. જ્ઞાની હોવા છતાં પણ તેમના હૈયામાં અભિમાન છે કર થયેલ કે મારા જેવા વિદ્વાન કેઈ નથી તેથી વ્યાખ્યાન સમયે પાંચ રંગબેરંગી જ કે ધજાઓ વ્યાખ્યાન પીઠ પાસે ફરકાવતા. આ જોઈ એક માર્ગસ્થ શ્રાવિકાને થયું કે ફિ. ત્ર મહારાજની વિદ્વત્તાની તોલે કેઈ આવે તેમ નથી પણ આટલું અભિમાન કરે તે સારું છે જ નહિ. કારણ જૈન શાસનના સુતરોથી પરિચિત દરેક આત્મા સમજે છે કે અજીર્ણ જ જ એ ખરાબ છે. ખોરાકનું અજીર્ણ શરીરમાં રોગોને આમંત્રણ આપે છે. તેમ તપનું છે
અજીર્ણ ક્રોધ ગણાય છે અને જ્ઞાનનું અજીર્ણ અભિમાન કહેવાય છે. છે એટલે અવસર પામી એકવાર વ્યાખ્યાન બાઇ તે શ્રાવિકા જિજ્ઞાસુરૂપે મહાજ મહાપાધ્યાયજીની પાસે ગઈ. અને પ્રાસંગિક વાત કરી કહે કે- ભગવંત ! આપની આ વાણના શ્રવણથી સાક્ષાત્ શ્રી ગૌતમસ્વામિ ગણધરની યાદી આવે છે. આ પ આટલા $ જ્ઞાની છે તે તેઓ તે કેવા ય જ્ઞાની હશે !
ત્યારે મહોપાધ્યાયજી કહે કે- શ્રાવિકે ! તેમના જ્ઞાનની આગળ મારું જ્ઞાન તે છે બિંદુ તુ યા નથી. તે પરમતારક તે શાસનના શિરતાજ, અનંતલધિના નિધાન અને આ સ્વયં ઢાંઢશાંગીના પ્રણેતા હતા. જ્યાં તેઓ અને ક્યાં હું ! તે શ્રાવિકા આશ્ચર્ય વ્યક્ત છિ કરતાં તપાવેલા સોનાને જેવો ઘાટ આપવો તેવો અવસર પામી વિનમ્ર બની કહે કેછે ભગવંત! તે તેઓ પૂજ્યશ્રી કેટલી ધજાએ પિતાની આગળ રાખતા હશે.
“તેજીને ટકોરો બસ તે ન્યાયે પૂપાઢ મહોપાધ્યાયજી શ્રાવિકાના વાતનો મર્મ ર સમજી ગયા અને કહે કે, ખરેખર તે મારા અભિમાનનો અંધાપો દૂર કર્યો. હવે છે ક્યારે પણ આવી ધજાઓ નહિ ફરકાવું. શ્રી જૈન શાસનથી સુપરિચિત માર્ગસ્થ ? 9 શ્રાવિકા પણ જે આવી વિચક્ષણા હોય તે આગમના અભ્યાસી આત્મા તે કેવા વિનયી છે અને નમ્ર હોય ! પોતાના છીછરા જ્ઞાનનું પ્રદર્શન કરવાનું કે અભિમાન કરવાનું
(જુએ ટાઈટલ ૩ જુ)