Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અશ્વિની પૂર્વ ભવની યોગ્યતા છે
–શ્રી વિરાગ રૂચી છે
પ્રભુ! આપ સર્વજ્ઞ છે? પ્રભુ ! આ યજ્ઞનું ફળ શું છે? અરે ! આ કેણ પૂછે છે? કોને પૂછાઈ રહ્યું છે? અરે ! આનું રહસ્ય સમજાતું નથી વણ ઉકેલ પ્રશ્નનો જવાબ મળતો નથી... હા, હા મળશે... થોડી ધીરજ ધરે. શાંતીથી વાંચો...!!!
ભરૂચ નામે શહેર છે. વર્ષો પહેલાં તે ભગપુર નામથી ઓળખાતું હતું. આ આ નગરને રાજા યથાર્થ નામવાળે હતે. શત્રુઓને કેળી કરવામાં પાવરધો હતો. તેનું
નામ જિતશત્રુ રાજા હતું. રાજા અન્ય ધમી હોવાથી અન્ય ધર્મને ગુરૂઓનું આવાછે ગમન સારું હતું. રાજ્ય વધારવાની લાલસા જાણને બ્રાહ્મણ ધર્મગુરૂઓએ યજ્ઞ છે જ કરાવવાની સલાહ આપી.
યજ્ઞનો પ્રારંભ થયો અવનવા કીયાકાંડ થવા લાગ્યા. અવરનવર યજ્ઞમાં બકરાને ૨ હોમ થવા લાગ્યો. ૫૯૭ બકરા હોમાયા પછી યજ્ઞના અંતિમ દિવસે રાજાનો પટ્ટ અશ્વ ૨ છે યજ્ઞની વેદિકામાં હેમવા માટે મંગાવાયો.
આ જ સમય પટ્ટઅશ્વને પ્રતિબોધવા માટે પ્રતિષ્ઠાન નગરથી શ્રી મુનિસુવ્રત . સ્વામી ભગવાન પોતાના પરિવાર સાથે ૬૦ જનને વિહાર કર્યો. રસ્તામાં રાત્રે
સિદ્ધપુર નગરમાં એક ક્ષણને વિશ્રામ કરી વહેલી સવારે પ્રભુ ભૃગુપુર નગરમ, પધાર્યા. ૨ છે ભગુપુર નગરની બહાર આવેલા ઉદ્યાનમાં આમ્રવૃક્ષની નીચે દેવોએ સમ્પસરણની રચના કરી. પ્રભુએ દેશનાની શરૂઆત કરી.
સર્વજ્ઞ પધાર્યા છે તેવી વાત સારાય નગરમાં થવા લાગી. ભગવાનની રિદ્ધિ-સિદ્ધિ છે જોવા માટે ટોળે ટોળા ઉમટયા અન્ય ધમ જિતશત્રુ રાજા પણ તે બાજુ આર્ષાયો. છે સમવસરણમાં આવી પ્રભુ સન્મુખ બેઠે. છે જે પટ્ટઅશ્વને આજે યજ્ઞની કિકામાં હોમવાનો છે તે જ પટ્ટઅશ્વ ઉપર આરૂઢ છે જ થઈને જિતશત્રુ રાજા સમવસરણમાં આવ્યા હતા.