Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8 વિજ્ઞાનની આંધી છે
–પૂ. આ. શ્રી વિજય કનકચંદ્ર સૂ. મ.
વિજ્ઞાનની આંધીમાં માણસ પોતાનું ઘર ભૂલી ગયો છે. વિકાસ અને ઉન- ૧ છે તિના સીધા માર્ગ પર ચાલવાને બદલે તે આડા રસ્તે ફંટાઈ ગયો છે. બેટા ખાડા૨ ટેકરાવાળા રસ્તા પર તે ચાલી રહ્યો છે. આમ છતાં પણ તેના મનમાં એક પ્રકારની ભ્રાંતિ ઘર ઘાલી બેઠી છે કે, વિકાસની મંઝીલ પર તે આગળ ને આગળ વધી રહ્યો છે. !
આથી સૌ પ્રથમ આપણે એક વાત સમજી લેવી અનિવાર્યપણે જરૂરી છે કે, પ્રગતિ અને ઉન્નતિને સાચા રસ્તે ક ? અભ્યદયનો રાજમાર્ગ કયે છે? માણસને ! ? આ વાત પર વિચાર કરવા-સમજવા માટે સુઅવસર મળ્યો છે.
એકેન્દ્રિય, બેઈન્દ્રિય આદિ પંચેન્દ્રિય તિર્યંચ આદિ અન્ય જીવોની સરખા. 8 મણીમાં મનુષ્ય મેખરાનું સ્થાન લેંગવે છે. કારણ મનુષ્ય માટે જે વિવેકબુદ્ધિ સુલભ ! લે છે, તે અન્ય જે માટે નથી.
માનવ અવતારનું આ એક મહાન સદભાગ્ય છે કે, આ આખી પરિસ્થિતિ છે સમજવાની, તેના પર વિચાર કરવાની અનુપમ શકિત માનવ માટે સુલભ છે.
નીચલી કેટિના પ્રાણીઓ પોતાના પુણ્ય પૂજના પ્રતાપે પંચેન્દ્રિય જીવની છે ૫ કક્ષામાં આવી બેસે છે. તેમના આગળના પુણ્યના સંચયને પ્રતાપે તેમની ઉન્નતિ છે જરૂર થાય છે, પરંતુ આ ઉન્નતિ વિચાર પૂર્વકની નથી.
ઉન્નતિ માટે શું કરવું જોઈએ ? તેની સ્પષ્ટ સમજ તે બાપડા પાસે નથી. અકામ નિર્જરા અથવા ભવિતવ્યતાના બળ ઉપર જ તે આગળ વધે છે. પરંતુ આ તે વસ્તુની બાબતમાં માનવી ધારે તે પોતાના પુરુષાર્થથી પ્રગતિ સાધી શકે છે, તેની ! પાસે વિચાર શક્તિ–વિવેક શક્તિ છે. આની સરાણ ઉપર પ્રશ્નોને ચડાવીને, મનન ી કરીને તે આગળ વધી શકે છે. છે આના સમર્થનમાં સંસ્કૃતમાં કહેવાયું છે કે, બુદ્ધિને હેતુ તત્વ ચિંતન કર8 વાને છે. દેહને હેતુ વ્રત, પ્રત્યાખ્યાન, શીલની સાધના કરવા અને સંયમ 4 પાલનને છે. લક્ષમી દાન માટે છે. વાણીને હેતુ સત્યમ્, શિવમ્ અને સુંદરમૂની ૧ ઉપાસના કરવા માટે મધુર વાણી ઉચ્ચારવાનું છે. આ બધું જાણવા છતાં– 8 સમજવા છતાં માણસ પોતાની શક્તિઓનો ઉપગ આજે જે માર્ગે કરી રહ્યો છે, ૧ એ વસ્તુ ખિન્નતા જન્માવનારી છે.