________________
गुजरातना ऐतिहासिक लेख
નં. ૮ મહાક્ષત્રપ રુદ્રસેનના સમયને ગઢ(જસદણ પાસે)ને લેખ
વર્ષ ૧૨૭ (અથવા ૧૨૬) છે. ભાઉ દાજીએ જ. બે. છે. . એ. સે. વ. ૮ પા. ર૩૪ ઉપર ૧૮૬૮ માં કદાચ હાથની કરેલી નકલ ઉપરથી લીગ્રાફ સાથે પ્રથમ આ લેખ પ્રસિદ્ધ કર્યો હતો.
કાઠિયાવાડમાં જસદણની ઉત્તરે બે માઇલ ઉપર આવેલ ગઢમાં આ લેખ મળી આવેલે કહેવાય છે. એક તળાવના કાંઠા ઉપર ઉભા રહેલા જાડા અને વાંકાચૂંકા પત્થરના કકડા ઉપર તે કોતરેલો છે. પાછળથી તે રાજકોટના વોટસન મ્યુઝીયમ એફ એન્ટિકિવટિઝમાં લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં અત્યારે પણ સુરક્ષિત છે. - લેખમાં જુદી જુદી લંબાઈની વિચિત્ર છ પંક્તિઓ છે. અને તે ૩ ફૂટ ૭ ઇં. પહેળે અને ૧ ફૂટ ૧૦ ઈ. ઉચે વાંકી લંબચોરસ આકૃતિને છે. કોતરકામ છીછરું પણ સુરક્ષિત સ્થિતિમાં છે. ન, મ, ૫, બૂ, જેવા અક્ષરોની સરાસરી ઉંચાઈ ૧૩” છે.
મહાક્ષત્રપ રાજા રુદ્રસેનના સમયને આ લેખ છે. અને તેમાં માનસ ગેત્રના પ્રતાશકના પુત્ર ખર( ૨ )પત્યના ભાઈઓએ ઉભા કરેલ સત્રની હકીકત છે.
પહેલાના પ્રસિદ્ધર્તાઓ એ પં. ૬ માં પ્રકાશકને બદલે પ્રનાથક અને ખર [૨] પરથને બદલે ખરપૌત્ર વાંચેલું છે. લેખમાં નીચે પ્રમાણે વંશાવળી આપી છે – - રાજા મહાક્ષત્રપ ભદ્રમુખ ચાણન, તેને પુત્ર રાજ ક્ષત્રપ દામન, તેને પુત્ર રાજા મહાક્ષત્રપ ભદ્રમુખી રુદ્રદામન, તેને પુત્ર રાજા મહાક્ષત્રપ ભદ્રમુખી રુદ્રસીહ (રુદ્રસિંહ), તેને
ક્ષત્રપ રુદ્રસેન. એક જ લેખમાં આપેલી સુરાષ્ટ્ર અને માળવાના ક્ષેત્રની આ લાંબામાં લાંબી વંશાવળી છે. “ભદ્રમુખ’ને ઈલ્કાબ કેટલાક મહાક્ષત્રપોનાં નામ પહેલાં લગાડે છે. પણ ફકત ક્ષત્રપ અથવા છેલા મહાક્ષત્રપ રુદ્રસેન જેના સમયમાં લેખ કેતરાયે હતું, તેના નામ પહેલાં તે ઇલ્કાબ લગાડેલે નથી. છેવટના નામ પહેલાં તે ન લગાડવાનું કારણ જણાતું નથી. પણું એટલું તે માલુમ પડે કે તે ઇલ્કાબ મહાક્ષત્રપોનાં નામ સાથે જ વાપરવામાં આવતો હતો. આ ફકત સળંગ પેઢીની વંશાવળી છે. એટલે સેન પહેલાં રાજ્ય કરતા દામય્યદ પહલે, અને જીવામન એ સીધી પેઢીના ન હોવાને લીધે તેઓના નામ આપવામાં આવ્યાં નથી. સંવત ૧૨૭ ( અથવા ૧૨૬ ) ના ભાદ્રપદ વદ ૫ ના આ લેખ છે. આ વર્ષે શક સંવતનું છે એટલે લેખનો સમય ૧૨૭ ( અગર ૧૨૬) +૭૮ ઈ. સ. ૨૦૫ (અગર ૨૦૪) ગણી શકાય. લેખમાં કેાઈ સ્થળનાં નામ નથી.
એ. ઈ. વ. ૧૧ પા. ૨૭૬ બેનરછ અને સુકથંકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com