Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 01
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 336
________________ २७० गुजरातना ऐतिहासिक लेख તે આ પરમમાહેશ્વર શ્રીધરસેન હતા. તેના પુત્ર [ શ્રી શીલાદિત્ય હતેા ] અને પોતાના પિતાના પાદોનું અનુધ્યાન કરતાં જેણે સકલ જગતને આનન્દ આપતા અદ્ભુભુત સદ્ગુણેાના સમૂહથી અખિલ નભ ભરી દીધું છે; જેના સ્કંધ અનેક યુદ્ધમાં વિજય મેળવનાર અસિના પ્રકાશથી ભૂષિત છે, જે [ રાજ્ય ] કાર્યાના મહાન ભાર વહે છે; જે સર્વ પર અને અપર વિદ્યાના અધ્યયનથી વિમળ મતિવાળા હાવા છતાં સુભાષિત લવમાંથી આનન્દ મેળવવા શક્તિમાન છે; જેના મનનું ગાંભીર્ય સર્વથી અગાધ હતું, અને છતાં જેના સદાચાર અતિ ઉમદા સ્વભાવ સ્પષ્ટ પ્રદર્શિત કરે છે; જેણે કૃતયુગના સર્વ નૃપાના પંથ ( માર્ગ )ના વિશેાધનથી મહાયશ પ્રાપ્ત કર્યા છે; જેણે ( ધર્મ ) ગુણના માર્ગે અનુસરીને સર્વથી ઉજ્જવળ લક્ષ્મી અને સુખના ઉપભેાગ મેળવ્યેા હતા, અને તેથી પેાતાને માટે યોગ્ય ધર્માદિત્યના અપર નામની પ્રાપ્તિ કરી હતી; આ પરમમાહેશ્વર શ્રીશીલાદિત્ય હતેા. તેના પુત્ર [ અનુજ એમ જોઈએ ], તેને પાદાનુધ્યાત; ઈન્દ્ર જેમ [ તેનેા અનુજ ] ઉપેન્દ્ર+ તરફ્ આદરથી વર્તતા તમ આદરથી તેની તરફ વર્તતા તેના ભાઈથી અર્પેલી અતિવાંચ્છિત રાજ્યશ્રી, વૃષ જેમ ધુરી વહે છે તેમ, સ્કંધ પર ધારવામાં જેનું ધૈર્ય આનંદ અથવા ખેદથી ડગતું નહિ;—કારણ કે તેને આત્મા આજ્ઞા પાલનમાં પરાયણ હતા; જો કે તેનું પાદપીઠ પેાતાના પ્રભાવથી શરણ થએલા અનેક નૃપાના મુગટમણિના પ્રકાશથી છવાઈ જતું, છતાં તેનું ચિત્ત અન્યનું સ્વમાન ભાવે એવા મદથી મુક્ત હતું; જેના શત્રુઓ જોકે વિખ્યાત, પ્રખળ અને ઉન્મત્ત હતા છતાં શરણ સિવાય તેના વિમુખ થવાનાં સર્વ સાધના તેમણે ત્યજી દીધાં હતાં; જેના શુદ્ધ ગુણના સમૂહે અખિલ જગત પ્રસન્ન કર્યું હતું, જેણે પ્રતાપથી કલિના ખળના દર્શનના પૂર્ણ નાશ કર્યો હતા; દુષ્ટાના વિચારો રેકતા દેષા વડે અકલંકિત હાવાથી જેનું મન અતિ ઉન્નત હતું; જેની શસ્રકળા ( કૌશલ્ય ) અને શૌર્ય અતિ વિખ્યાત હતાં; જેણે અનેક શત્રુનૃપાની લક્ષ્મી મેળવી પૂર્વેના પરાક્રમી અને પ્રખળ નૃપામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું; આ પરમમાહેશ્વર ખરગ્રહ હતા. તેના પુત્ર, તેના પાદાનુધ્યાત; જેણે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી સમસ્ત વિદ્વાનાનાં હૃદય અતિ અનુëજ્યાં હતાં; જેણે, પેાતાનાં મળ અને ઉદારતાથી, જે સમયે તેના શત્રુએ સાવચેત ન હતા ત્યારે અરિપક્ષની મહત્વાકાંક્ષાઓ રૂપ રથની ધરી ભાંગી નાંખી હતી, જે અનેક શાસ્ત્રા, કળા, અને લેાકચરિતના ઉંડા વિભાગોથી પરિચિત હતા, છતાં અતિ આનન્તકારી પ્રકૃતિના હતા; જે અકૃતિમ નમ્ર હોવાથી જેના વિનય તેનું ભૂષણ બન્યા હતા; + આ સ્પષ્ટ રીતે બતાવે છે કે શીલાદિત્યે પેાતાની ગાદી પેાતાના ભાઈની તરફેણમાં છેડી હતી અને તેને પેાતાની જીંદગીમાં જ ગાદી અપણ કરી હતી અને પેાતાના આજ્ઞાંકિત ભાઈને બધી રાજ્યલક્ષ્મી આપી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394