SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ २७० गुजरातना ऐतिहासिक लेख તે આ પરમમાહેશ્વર શ્રીધરસેન હતા. તેના પુત્ર [ શ્રી શીલાદિત્ય હતેા ] અને પોતાના પિતાના પાદોનું અનુધ્યાન કરતાં જેણે સકલ જગતને આનન્દ આપતા અદ્ભુભુત સદ્ગુણેાના સમૂહથી અખિલ નભ ભરી દીધું છે; જેના સ્કંધ અનેક યુદ્ધમાં વિજય મેળવનાર અસિના પ્રકાશથી ભૂષિત છે, જે [ રાજ્ય ] કાર્યાના મહાન ભાર વહે છે; જે સર્વ પર અને અપર વિદ્યાના અધ્યયનથી વિમળ મતિવાળા હાવા છતાં સુભાષિત લવમાંથી આનન્દ મેળવવા શક્તિમાન છે; જેના મનનું ગાંભીર્ય સર્વથી અગાધ હતું, અને છતાં જેના સદાચાર અતિ ઉમદા સ્વભાવ સ્પષ્ટ પ્રદર્શિત કરે છે; જેણે કૃતયુગના સર્વ નૃપાના પંથ ( માર્ગ )ના વિશેાધનથી મહાયશ પ્રાપ્ત કર્યા છે; જેણે ( ધર્મ ) ગુણના માર્ગે અનુસરીને સર્વથી ઉજ્જવળ લક્ષ્મી અને સુખના ઉપભેાગ મેળવ્યેા હતા, અને તેથી પેાતાને માટે યોગ્ય ધર્માદિત્યના અપર નામની પ્રાપ્તિ કરી હતી; આ પરમમાહેશ્વર શ્રીશીલાદિત્ય હતેા. તેના પુત્ર [ અનુજ એમ જોઈએ ], તેને પાદાનુધ્યાત; ઈન્દ્ર જેમ [ તેનેા અનુજ ] ઉપેન્દ્ર+ તરફ્ આદરથી વર્તતા તમ આદરથી તેની તરફ વર્તતા તેના ભાઈથી અર્પેલી અતિવાંચ્છિત રાજ્યશ્રી, વૃષ જેમ ધુરી વહે છે તેમ, સ્કંધ પર ધારવામાં જેનું ધૈર્ય આનંદ અથવા ખેદથી ડગતું નહિ;—કારણ કે તેને આત્મા આજ્ઞા પાલનમાં પરાયણ હતા; જો કે તેનું પાદપીઠ પેાતાના પ્રભાવથી શરણ થએલા અનેક નૃપાના મુગટમણિના પ્રકાશથી છવાઈ જતું, છતાં તેનું ચિત્ત અન્યનું સ્વમાન ભાવે એવા મદથી મુક્ત હતું; જેના શત્રુઓ જોકે વિખ્યાત, પ્રખળ અને ઉન્મત્ત હતા છતાં શરણ સિવાય તેના વિમુખ થવાનાં સર્વ સાધના તેમણે ત્યજી દીધાં હતાં; જેના શુદ્ધ ગુણના સમૂહે અખિલ જગત પ્રસન્ન કર્યું હતું, જેણે પ્રતાપથી કલિના ખળના દર્શનના પૂર્ણ નાશ કર્યો હતા; દુષ્ટાના વિચારો રેકતા દેષા વડે અકલંકિત હાવાથી જેનું મન અતિ ઉન્નત હતું; જેની શસ્રકળા ( કૌશલ્ય ) અને શૌર્ય અતિ વિખ્યાત હતાં; જેણે અનેક શત્રુનૃપાની લક્ષ્મી મેળવી પૂર્વેના પરાક્રમી અને પ્રખળ નૃપામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું; આ પરમમાહેશ્વર ખરગ્રહ હતા. તેના પુત્ર, તેના પાદાનુધ્યાત; જેણે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી સમસ્ત વિદ્વાનાનાં હૃદય અતિ અનુëજ્યાં હતાં; જેણે, પેાતાનાં મળ અને ઉદારતાથી, જે સમયે તેના શત્રુએ સાવચેત ન હતા ત્યારે અરિપક્ષની મહત્વાકાંક્ષાઓ રૂપ રથની ધરી ભાંગી નાંખી હતી, જે અનેક શાસ્ત્રા, કળા, અને લેાકચરિતના ઉંડા વિભાગોથી પરિચિત હતા, છતાં અતિ આનન્તકારી પ્રકૃતિના હતા; જે અકૃતિમ નમ્ર હોવાથી જેના વિનય તેનું ભૂષણ બન્યા હતા; + આ સ્પષ્ટ રીતે બતાવે છે કે શીલાદિત્યે પેાતાની ગાદી પેાતાના ભાઈની તરફેણમાં છેડી હતી અને તેને પેાતાની જીંદગીમાં જ ગાદી અપણ કરી હતી અને પેાતાના આજ્ઞાંકિત ભાઈને બધી રાજ્યલક્ષ્મી આપી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy