Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 01
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 379
________________ ગુજરાત ચાલુક્ય વંશના લેખો નં૧૦૨ ચાલુકય વિજયરાજનાં ખેડાનાં તામ્રપત્રો ચે. સં. ૩૯૪ ૨. સુ. ૧૫=ઈ. સ. ૬૪૨ આ તામ્રપત્રો પ્રો. જે. ડાઉસને ર. એ. સ. ના જરનલમાં ( ન્ય. સીરીઝ ) ધો. ૧ પા. ૨૪૭ મે પ્રસિદ્ધ કર્યા હતાં. તે હાલમાં રો. એ. .ની લાઈબ્રેરીમાં છે. ત્યાંથી માગીને અક્ષરાન્તર તથા તરજુમો વિગેરે ફરીથી કરીને પ્રસિદ્ધ કરૂં છું : આ પતરાં ઈ. સ. ૧૮૨૭ માં ખેડામાંથી મળેલાં છે. તેના વાયવ્ય ખૂણુએ વત્રુઆ નદી વહે છે તેના પાણીથી દીવાલ ધોવાઈ જવાથી આ તામ્રપત્ર મળ્યાં હતાં. પતરાં બે છે અને તેનું માપ ૧૩y” x ૮” છે. તેની કાર તેને સુરક્ષિત રાખવા માટે હેજ વાળેલી છે. બે કડી માટે કાણાં છે પણ કડી તેમજ સીલ ઉપલબ્ધ નથી. ભાષા સંરક્ત છે. લિપિ શરૂવાતનાં ચાલય અને કદમ્બ તામ્રપત્રો ઉપરના જેવી જ છે. વિજયપુર ગામે મુકામ હતું ત્યાંથી દાન આપવામાં આવેલ છે. ચાલુક્ય વંશના જયસિહના દીકરા બુદ્ધવર્માના વિજયરાજે આ દાન આપેલું છે. જબુસરના અધવર્યુ અને બ્રહ્મચારીઓને દાનમાં પરિયય ગામ આપવામાં આવેલ છે. આ જંબુસર ખેડા અને ભરૂચની વચ્ચે ખેડાથી અગ્નિ ખૂણે ૫૦ માઈલ ઉપર અને ભરૂચથી વાયવ્યમાં ૨૫ માઇલ ઉપર આવેલ છે. પરિચય શોધી શકાયું નથી. દાન ૩૯૪ માં વર્ષમાં વૈશાખ સુદ પૂર્ણિમાને દિવસે આપેલ છે. તિથિ પંક્તિ ૩૨ મે શબ્દોમાં અને ૫. ૩૪ મે અંકમાં આપવામાં આવેલ છે. તેથી ૩૦૦, ૦. ૪. ૧૦ અને ૫ એટલા અંકનાં ચિહ્નો પ્રાપ્ત થાય છે. આ ચિ, ચાર અને પાંચનાં ચિહ્નો સિવાય, ઈ. એ. વ. ૬ પા. ૪ર મે વલભી અને ચાલુકય સમયનાં ચિહ્નો ડે. ભગવાનલાલે આપ્યાં છે તેને મળતાં છે. આ દાનની સાલ કયા સંવતની છે તે બાબતમાં પ્રો. ડાઉસને સંવત્સરને અર્થ વિક્રમ સંવત કરેલ. ત્યારબાદ મી. કે. ટી તિલેગે તે શક સંવતની સાલ છે એમ પૂરવાર કરેલ (જ. . . રો. એ. સે. . ૧૦ પા. ૩૪૮). પરંત જે ગુર્જર તામ્રપત્રોને આધારે તેણે શક સંવત ૧૫રાયો છે એમ માનેલ તે તામ્રપત્રો પણ ચેદી સંવતમાં છે એમ સિદ્ધ થયું છે. તેથી આ સાલ પણ ચેદી સંવતની હોવી જોઈએ અને તે ઈ. સ. ૬૪૨ ની બરોબર થાય છે. વિશેષમાં પ્રો. ડાઉસને તેમ જ મી. તિર્લીગે ચાલુક્યનું વંશવૃક્ષ ઉપજાવવાને તેમ જ દક્ષિણના ચાલય સાથે સંબંધ શોધી કાઢવાને પ્રયત્ન કરેલ તે ભૂલભરેલો છે, એમ વિસ્તારથી ડે. કલીટે બતાવી આપેલ છે. વંશાવળી સંબંધમાં તેઓએ કરેલા ઘણા ઊહાપોહ પછી છેવટ એમ નિર્ણય થાય છે કે વિજયરાજના મૃત્યુ પછી અગર લડાઈમાં હાર અને મરણ પછી ઉત્તરમાં ચાલુકયની સત્તા પડી ભાંગી અને ગુર્જર અથવા વલભી રાજાઓ જેરમાં આવ્યા. પુલકેશી ૧ લે તે વંશના વારસ હતો અને તે નાઠો ત્યારે તેની સાથેના અનુયાયીની મદદથી રસ્તે કદાચ પલ્લવ રાજાઓ પાસેથી વાતાપિ પડાવી લઈને ત્યાં નવું રાજ્ય સ્થાપ્યું. અથવા આ વિજયરાજના તામ્રપત્રને દ૬ બીજાનાં તામ્રપત્ર સાથે સરખાવતાં એમ પણ સંભવિત છે કે ચાલુકયો ગુર્જરના ખંડીયા હતા પણ પુલકેશીએ સ્વતંત્ર થઈને દક્ષિણ તરફ પ્રયાણ કરી નવું રાજ્ય સ્થાપ્યું. આ તામ્રપત્રની પાછળ કેતરીને છેકી નાંખેલ લેખ છે તે સાફ કરીને વાંચી જેવાં બીજી બાજુના પતરામાંની જ હકીકત છે. ૧. ઈ. એ. વ. ૭ પા. ૨૪૧ કે. જે. એફ. ફલીટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394