Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 01
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 392
________________ ને૧૦૭ નાગવર્ધનનાં નિરપણુમાંથી મળેલાં તામ્રપત્રો સંવત્ + આ તામ્રપત્રો જ. બ. છે. ર. એ. સો. . ૨ પા. ૪ થે બાલગંગાધર શાસ્ત્રીઓ અને છે. ૧૪ ૫. ૧૬ મે છે. ભાંડારકરે પ્રસિદ્ધ કર્યા છે. શિલાછાપ પહેલી જ વાર અહી પ્રસિદ્ધ થાય છે. મારું અક્ષરાન્ડર મૂળ પતરાંમાંથી કરેલું છે. તે પતરાં નાસિક પરગણુના વિગતપુરી તાલુકામાંના નિરપણ ગામના નન્સ વલદ કસુની માલીકિનાં હતાં. પતરાં બે છે અને દરેક જ પટ્ટ” માપનાં છે. કાર ચઢાવેલી છે અને લેખ સુરક્ષિત છે. જમણુ બાજુની કડી સાદા ત્રાંબાના તારની છે. તાર ” જાડો છે અને કડીને વ્યાસ ૧” છે. કડીના છેડા રેવ્યા હોય એમ લાગતું નથી. ડાબી બાજુની કડી અખંડ હતી અને તે જાડી છે અને તેને ૧૫” વ્યાસ છે. તેના ઉપરની સીલને વ્યાસ ૧છુ છે અને નીચી સપાટી ઉપર ઉપડતા અક્ષરે વચમાં શ્રીનાથમા લખેલું છે અને તેની ઉપર ચન્દ્રની અને નીચે કમળની આકૃતિઓ છે. પાશ્ચાત્ય ચાલુક્ય જયસિહવર્માના દીકરા નાગવર્ધન ઉર્ફે ત્રિભુવનાશ્રયનું આ દાનપત્ર છે. સીલ ઉપરના લેખથી અટકળ થાય છે કે જયાસહવર્માને પણ જયાશ્રયને ઇલકાબ હતે. દાનપત્રમાં સાલ આપી નથી. રુદ્રમાળ પહેરનાર શિવ કપાલેશ્વરની સ્થાપના માટે ગેપરાષ્ટ્ર પરગણામાં બેલેગ્રામ નામનું ગામ દાનમાં આપ્યું છે. મી. જે. એ. બેસે તે ગામ વિગતપુરીથી બાર માઈલ ઉપર બેલગામ વરાળા તરીકે શોધ્યું છે. આ તામ્રપત્ર માટે ચાર મુદા શંકાસ્પદ છે. (૧) તે ગુર્જર લિપિમાં છે. (૨) તે કીર્તિવમને સત્યાશ્રયને ઈલકાબ આપે છે. (૩) પુલકેશી બીજાને ચિત્રકરઠ છે તેનું વર્ણવે છે. (૪) પુલકેશી બીજાને પરમ માહેશ્વર વર્ણવે છે. છતાં એકંદર જોતાં મને તેની સત્યતા માટે શંકા નથી. પાશ્ચાત્ય પાટનગર વાતાપીથી એટલું બધું છે. ઉત્તરમાં અને ગુર્જર ચાલુક્યના સ્થાનથી એટલું બધું નજીક દાન અપાયું છે કે ગુર્જર લિપિ વપરાય એ બનવાજોગ છે. આ કર હોવાના કારણુ સબબ ચાલુક્ય વંશાવલિનું ખરું જ્ઞાન ન હોય, એ પણ બનવાજોગ છે. અગર કોતરનારની માત્ર બેદરકારીથી પણ પુલકેશી બીજાને બદલે કીર્તિવને અત્યાશ્રયને ઈલકાબ આપે હોય, એ કે પરમ માહેશ્વર લખાય તે અનન્ય શિવભક્ત પુલકેશી બી ન હતો છતાં પશ્ચિમાત્ય ચાલુકા બ્રહ્મા, વિષ્ણુ અને જીનેન્દ્રની માફક શિવ પૂજાને પણ ઉત્તેજન આપતા. પં. ૧૩ માં વર્ણવેલે નાગવર્ધન પુલકેશી બીજાને ગુરૂ હવે જોઈએ. પુલકેશીને શ્રી નાગવર્ધન પાદાનુધ્યાત કહો છે તેને ખરે અર્થ તે તે થ જોઈએ. પરંતુ કેટલાંક તામ્રપત્રમાં ર૦ ર અગર તથા ની સાથે પણ માત્ર વાત્સલ્ય ભાવ બતાવવા પલવાર રાજ વપરાય છે. (ઈ. એ. . ૬ પા. ૧૯૦ નં. ૩ ને ને. ૧૦,વો. ૪ પા. ૯૪, વે. ૬ પા. ૧૩ અને ૧૭) તે મુજબ અર્થ કરવામાં નાગવર્ધન તે કીર્તિવર્માનું બીજું નામ હોય એમ કહપના કરવી જઈએ તેથી હારી માન્યતા છે કે અહીં તે માત્ર એના અર્થમાં વપરાય છે (સરખા છે. ૭ ૫. ૧૨૧ ૫. ૧ . ૫ પા. ૫૧ ૫. ૧૩–૧૪. પા. ૧૫૫ પં. ૧૨-૧૩). . ૫ નં.૧૨ ૫. ૧૪ અને નં. ૧૫ ૫. ૧૩ માં પાયા ને ઉપયોગ થએલ છે. ૧ ઈ. એ. કે. ૯ ૫. ૧૨૩ ડો. જે. એફફલીટ. (૧) મહાભારતને બી બ્લોક બીજા પતરામાં મુશ્કેલીથી કાતરવાની જગ્યા છે તેથી સંભવ છે કે સાલ બીન પતની પાછળ કતરી હોય. મૂળ પતરાંના અભાવથી તે બાબત ચાણસ કહી આપતું નથી. (આ. શિ. . ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394