________________
गुजरातना ऐतिहासिक लेख
ન૧૪ રૈકૂટક વંશના વ્યાઘ્રસેનનાં સુરતનાં પતરાંઓ*
સંવત ૨૪૧ મી. એ. એમ. ટી. જેક્સને જણાવ્યા પ્રમાણે આ તામ્રપત્રે સુરતથી મળેલાં છે. પત્રાં બે છે અને તે દરેકનું માપ લગભગ ૯ ઇંચ પહેલું અને ૩ ઇંચ ઉંચાઈનું છે. લખાણ ફક્ત અંદરની બાજીપર જ છે. બીજ પતરાં કરતાં આ વધુ પાતળાં અને ઉપડતી કાર વગરનાં છે, પણ તેમાંનું લખાણ એકદંરે સુરક્ષિત સ્થિતિમાં છે. પારડીનાં પતરાંઓની માફક આમાં પણ પહલા પતરાની લખેલી બાજુ નીચે અને તેવી જ રીતે બીજાની ઉપર એ પ્રમાણે તાર માટેનાં કાણાંઓ છે. આ કાણુઓમાંથી એક લાંબે ત્રાંબાના તાર જમણી બાજુએથી પસાર કરી વાળી દેવામાં આવે છે. ડાબી બાજુએ પણ કદાચ આ તાર હશે, પણું મળી શકી નથી. પતરાંઓ તથા તારનું એકન્દર વજન ૫૦ તેલા છે.
ટક વંશના મહારાજા વ્યાવ્રસેને “વિજયી અનિરૂદ્ધપુર' માં રહી એક બ્રાહ્મણને આપેલી જમીનની બક્ષીસનું વર્ણન લેખમાં છે. આ શહેર શૈકૂટક રાજાઓની રાજધાનીનું શહેર જણાય છે. તે શેહર ( કલચરી ) સંવત ૪૦૬નાં બગમ્રાનાં પતરાંઓમાં દાન લેનારના નિવાસ સ્થાન તરીખે “વિજયી અનિરૂદ્ધપુરિ ' એ પ્રમાણે લખવામાં આવ્યું છે.
વ્યાસન અપરાન્ત પ્રદેશમાં રાજ્ય કરવાનો દાવો ધરાવે છે. કાલિદાસના રઘુવંશમાંના બે શ્લોકમાં આવતા ત્રિકૂટ પર્વત, જેના ઉપરથી વૈકુટકેના વંશનું નામ પડયું હોવું અપરાન્તના રાજાના પ્રદેશમાં આવેલો હોવાનું જણાવ્યું છે, તેને ઉપરની હકીકતથી સાબીતી મળે છે.
રઘુવંશ ઉપર મહિલનાથે લખેલ જયન્તી પ્રમાણે અપરાન્તનું મુખ્ય સ્થળ પરકર, હાલનું સોપારા જણાય છે. અને તે જ સૈકૂટકેનું રાજધાનીનું શહેર અનિરૂદ્ધપુર હું ગણું છું.
વ્યાઘસેને આપેલું ગામડું ઈક્ષરકી પરગણુનું પુરોહિતપલ્લિકા હતું. પરંતુ આ ઓળખી શકાતું નથી. ગામડાના નામ ઉપરથી કદાચ અનુમાન કરી શકાય કે તે મેળવનાર નાગશર્મા રાજકુટુંબને પુરાહિત હતે.
સંવત ૨૪૧ના કાતિક સુદ ૧૫ ને દિને તે આપ્યું હતું. દહસેનનાં પારડીનાં પતરાંઓ ઉપર ( કલચુરી ) સંવત ૨૦૭ આપેલ છે. અને સિક્કાઓ ઉપરથી જણાય છે કે વ્યાવ્રસેન દહસેનને પુત્ર હતા. એટલે નવા લેખનું વર્ષ પણ ઈ. સ. ૨૪૯ થી શરૂ થતા કલચુરી સંવતનું હોવું જોઇએ. અને તેમાં આપેલા મહિનાને લીધે લેખનું વર્ષ ઈ. સ. ૪૯૦, અગર ૪૯૧ નું હેવાનું નહી થાય છે.
અનિરૂદ્ધપુરમાં રહેતા અપરાન્તના ઐટિક રાજાઓ વિષે સિક્કાઓ તથા લેખે ઉપરથી જેટલું જાણવામાં આવ્યું છે તે નીચેની વંશાવળીમાં આવી જાય છે --
મહારાજ ઇન્દ્રદત્ત
મહારાજ દહુસેન (ઈ. સ. ૪૫% અથવા ૪૫૭)
મહારાજ વ્યાધિસેન
(ઈ. સ. ૪૮૦ અથવા ૪૮૧ ) એ, હ. . ૧૧ ૫. ૨૧૯ પ્રો. ઈ. હકથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com