________________
નં. ૬૮ ધ્રુવસેન ૨ જાનાં નગાવાનાં તામ્રપત્રો
ગુપ્ત સંવત ૩૨ (ઈ. સ. ૬૩૯-૪૦) ભાદરવા વદ ૫ આ તામ્રપત્રોની બે જોડીઓ રતલામ દરબારની છે. તે મધ્ય હિન્દુસ્તાનમાં રતલામ સ્ટેટના દિવાને ૧૯૦૨ ના ડિસેંબરમાં મારશલ અને કઝીન્સ સાહેબને છેડા સમય માટે આપ્યાં હતાં. મી, મારશલે રતલામના દિવાનનો એક પત્ર મને મે કહ્યું હતે, તે ઉપરથી જણાય છે કે, રતલામની ઉત્તરે ૧૦ મૈલ પર નોગાવામાં એક બ્રાહ્મણને ફ, તેના મકાન પાસે દુરસ્ત થતું હતું ત્યારે, ૧૮૯૧માં, આ પતરાંઓ મળ્યાં હતાં. દરેક જોડી બે તામ્રપત્રોની બનેલી છે. તે જોડી ઉપર એક મુદ્રા લગાડેલી છે. આ મુદ્રાની કડી ભાંગેલી અથવા કાપેલી મળેલી છે. અને પ્રથમ કઈ જેડીની તે હશે તે કહી શકાતું નથી. મુદ્રા લંબગોળ છે. અને તેને વ્યાસ આશરે ૨” અને ૨' માપના છે. તેમાં બેઠેલી સપાટીમાં ઉપડતા જમણી બાજુ મુખ રાખી બેઠેલે એક નદી છે અને તેની નીચે શ્રીમટીમ લખેલું છે. ઈ. સ. ૧૯૦૨-૩ ના એન્યુઅલ રિપોર્ટ ઓફ ધી આર્કેઓલોજીકલ સર્વે ઓફ ઇડીઆમાં આ બેમાનું બીજું દાનપત્ર ( બી ) પ્રતિકૃતિ સાથે પ્રસિદ્ધ કરી ચૂક્યો છું. પહેલું (એ) પ્રસિદ્ધ કરવા સાથે બીજાનું અક્ષરાન્તર પણ ફરી છાપું છું. કારણ કે બન્નેના દાનના ભાગે એક બીજા સાથે સંબંધ ધરાવતા હેઈ એક બીજા ઉપર ઘણે પ્રકાશ પાડે છે.
મી. કઝીન્સ ૧૯૦૫ માં બનાવેલી શાહીની બે છાપ, અને તે જ વર્ષમાં મી. મારશલે મોકલે. લાં રબિંગ ઉપરથી આ લેખ પ્રસિદ્ધ કર્યો છે. ફક્ત અંદરની બાજુ પર લખાણવાળાં બે તામ્ર
કોતરે છે. પહેલા પતરાની લખેલી બાજીના નીચેના છેડા ઉપર કડીનાં બે કાણાં છે, અને બીજા પતરાને મથાળે તેની સામે બે કાણું છે. છાપ ઉપરથી અનુમાન થાય છે કે તે દરેક પતરાનું માપ, આશરે ૯ ઇંચ ઉંચાઈ અને ૧૧” પહોળાઈનું હશે.
આ લેખમાં મૈત્રક રાજા ધ્રુવસેન (૨) એ બે બ્રાહ્મણને જમીનનું દાન આપ્યાનું લખ્યું છે. તેણે આ શાસન ( પિતાની રાજધાની ) વલભીમાંથી કાઢયું હતું. તેની વંશાવળી તેના સંવત ૩૧૦ ના દાનપત્રના શબ્દોમાં જ છે.
દાન મેળવનારા આ બે બ્રાહ્મણો ઉદુમ્બરગલ્ફર અને જમ્બુસર છેડી અગરિતકાગ્રહાર અને અયાનકાગ્રહારમાં આવી રહેતા હતા. ઉદુમ્બરગહર બી દાન પત્રની પં. ૪૧ માં તથા ધરસેન ૪ થાન એક દાનમાં પણ આવે છે. જમ્બુસર તે ખેડા અને ભરૂચ વચ્ચેનું હાલનું જમ્બુસર છે.
ઉપર કહેલા પ્રદેશમાં માલવકમાં ” ( મારુ ગુમાન-ગુ પં. ૪૧, તથા માવ માન-વિષયે બી દાનપત્રમાં પં. ૪૪ ) એ વાકય ગુંચવણવાળું છે. “બો ” એકલું પ્રસિદ્ધ કર્યું ત્યારે મેં સૂચવ્યું હતું કે દાન મેળવનારના વર્ણન પહેલાં ત્રીજી પંક્તિમાં આવતા દશપુર સાથે કદમન શબ્દનો સંબંધ હોય. આ વિચાર છોડી દે પડે છે. કારણ કે “એ” માં દશપુર ને ઉલ્લેખ જ નથી. દાન મેળવનારનાં વર્ણનમાં તેઓ પહેલાં તરત જ આવતાં અગસ્તિકાગ્રહાર અને અયાનકાગ્રહાર ગામના નામના સંબંધમાં ફરમાન શબ્દ બે વખત વાપર્યો છે. તેથી મુજી અને વિશે ની પહેલાં કુરાનન શબ્દ આગળ આવી ગયેલ સપ્તમી “મા ” ને જ લાગી શકે અને મારા ગુદામાન મુજૌ અથવા વિશે અને માર૩૪ મુજો અથવા–વિ એ એક જ છે.
એ. ઈ. વો. ૮ પા. ૧૮૮ પ્રો. ઈ. હુશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com