________________
૨૮૨
गुजरातना ऐतिहासिक लेख અતિ આનન્દી પ્રકૃતિને હતું, જેની અકૃત્રિમ નમ્રતા અને વિનય તેનાં ભૂષણ હતાં, જેણે અનેક રણક્ષેત્રમાં વિજયદેવજ ધારનાર પ્રબળ અને વિશાળ કરથી નિજ સર્વ શત્રુઓના મદનો નાશ કર્યો હતો. અને જેની આજ્ઞાને નિજ ધનથના બળથી પરાજય કરેલી શસ્ત્રકળાવાળા અખિલ નૃપમંડળથી સ્વીકાર થતા, તે પરમ માહેશ્વર શ્રી ધરસેન હતો. હેને અનુજ અને તેને પાદાનુધ્યાત જે સત્કૃત્યોમાં પૂર્વના સર્વ નુપ કરતાં અધિક હતું, જે અતિ કઠણ કાર્યો પૂર્ણ કરતે, જે પરાક્રમના સાક્ષાત મનુષ્યરૂપે હતા, જેની પ્રજા તે પિતે મનુ હોય તેમ તેના મહાનું ગુણના પ્રેમથી પૂર્ણ હૃદયથી તેને માન આપતી, જે કલંકરહિત, પૂર્ણ, ઉજજવળ અને અન્યને આનન્દ આપનાર સાક્ષાત્ શશિસમાન હતા, જે (તેના મહાન પ્રતાપના ) ઉજજવળ તેજથી સર્વ દિશા ભરી તિમિર હણનાર અને નિત્ય પ્રકાશને સૂર્ય હતો, જે અર્થપ્રાપ્તિ, અનેક પ્રજનની વૃદ્ધિમાં અને ઉન્નતિની વૃદ્ધિ અર્થે નિજ પ્રજામાં વિશ્વાસ ઉત્પન્ન કરતો, સમાસ, વિગ્રહ અને સંધિનાં કાર્યોના નિશ્ચયમાં નિપુણ [ સંધિ અથવા સ્વરશાસ્ત્રના નિયમમાં-સમાસ છૂટે કરવામાં અને સમાસમાં નિપુણ ] યોગ્ય સ્થાને આદેશ કરતે, [ મૂળ સ્થાનમાં આદેશ કરનાર ] અને સાધુઓને નીચા સ્થાનથી સંસ્કાર કરી માન આપતા [ ગુણ અને વૃદ્ધિના ફેરફારથી શબ્દોને સાચું રૂપ આપતે ], અને શાલાતુરીયની કળામાં નિપુણ હતો તે ૫રમમાહેશ્વર ધ્રુવસેન હતું. તે અતિ વિક્રમ સંપન્ન હતા, છતાં દયાથી મૃદુ હૃદયવાળો હતે, વિદ્વાન હતું છતાં મદરહિત હતા, તે વલલભ હતા, છતાં તેની વાસનાઓ વશ હતી, નિત્ય માયાળુ હતું છતાં દેવીને તે તજી દેતે તેણે તેના ઉદય સમયે જનેમાં પ્રકટેલા અને ભૂમિમાં પ્રસરેલા અનુરાગથી તેનું બાલાદિત્ય( ઉષાના સૂર્ય)નું બીજું નામ સત્ય કર્યું. તેને પુત્ર, તેના પિતાના ચરણકમળને પ્રણામ કરતાં ભૂમિ પર ઘર્ષણથી થએલા ચિન્હરૂપી ઈદુકલા લલાટ પર ધારનાર, જેની મહાન્ વિઘા હેના રમ્ય કર્ણ પર બાળપણમાં ધારેલાં મૌકિક અલંકારસમાન શુદ્ધ છે, જેનાં કરકમળ દાન [ આપતાં રેડેલા ] જળથી સદા દેવાતા, જેને આનન્દ કન્યાના કરના મૃદુગ્રહણુસમાન મૃદુ કરગ્રહી ઉશત થતું, જેણે ધનુર્વેદ માફક પોતાના ધનુષ્યથી જગતમાં સર્વ લક્ષિત વસ્તુઓ કરી છે, જેની આજ્ઞાનું પાલન સર્વ નમન કરતા નૃપના મંડળથી શિર પર ધારેલાં રને માઠ થતું, તે નિજ પિતાને પાદાનુધ્યાત, પરમ માહેશ્વર, પરમભટ્ટારક મહારાજાધિરાજ, પરમેશ્વર અને ચકવર્તી શ્રી ધરસેન હતા. તે કુશળ હાલતમાં આ શાસનની સાથે સંબંધવાળા સર્વને શાસન કરે છે -
તેમને જાહેર થાઓ કે મારા માતા પિતાના પુણ્યની વૃદ્ધિઅર્થે શર્કરા પદ્ધકની દક્ષિણમાં પર પાદાવર્તનું એક ક્ષેત્ર, કિકટાપુત્ર વિષય, સુરાષ્ટ્રમાં કાલાપક પથમાં એક ગામ બ્રાહ્મણ કુહઢયના પુત્ર, ઠિકકટાપુત્રમાં વસતા પૂર્વે સિંહપુરના, સિંહપુરના ચાર વેદ જાણતા જિોમાં માન પામેલા, ભારદ્વાજ ગોત્રના અને છÈગ સબ્રહ્મચારી બ્રાહ્મણ અજુનને આપ્યું છે. ક્ષેત્રની સીમા –પૂર્વે વિન્ડલ્સક્કવાપી, દક્ષિણે વજુકસદ્ધક્ષેત્ર, પશ્ચિમે કુટુંમ્બિ વિહલસત્કકક્ષેત્ર, ઉત્તરે બ્રાહણ ષષ્ટિ ભવસત્કકનું ક્ષેત્ર અને વળી બ્રાહ્મણ ગુહઠયના પુત્ર, કિકટાપુત્રમાં વસતા, પૂર્વે સિંહપુરના, સિંહપુરના ચાર વેદ જાણતા બ્રિજેથી માન પામેલા, ભારદ્વાજ ગોત્રના, છગ સબ્રહ્મચારી બ્રાધાણુ મનુ સ્વામિનને, સુરાષ્ટ્રમાં કલપ ... ... ... ... માં, કિકક .. ... .. ગામની પશ્ચિમ હદપર ૧૬ (સેળ ) પાદાવર્તને એક વાપી. જેની સીમા પૂર્વ ચત્રસત્કક વાપી, દક્ષિણે અને પશ્ચિમે કુટુંમ્બિ ચન્દ્રસત્કક ક્ષેત્ર અને ઉત્તરે મહક • • • ક્ષેત્ર તથા વર્કરાપદ્રક ગામની પશ્ચિમ હદપર કિટકટાપુત્ર વિષય, ૨૮ પારાવર્તનું ક્ષેત્ર જેની સીમા-... ... .. તથા ૧૪ પાતાવતનું એક ક્ષેત્ર જેની સીમા- . ... ... ... ... , તથા ૬ પત્તકે જેની સીમા -પૂર્વ .. .. દક્ષિણે .... , પશ્ચિમે .... , અને ઉત્તરે પટાનક ગામની હદપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com