Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 01
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha
View full book text
________________
२०२
गुजरातना ऐतिहासिक लेख
માક્ જેણે કાર્મક વિષે સકલ લક્ષ્ા સિદ્ધ કર્યાં હતાં,î અને જેના શાસનને પ્રભુત સામન્તવર્ગ મસ્તક ઉપર ચૂડારત્નની માફક ધરતા હતા.
૫.૩૩. તેના પિતામહના ભાઈ શ્રી શીલાદત્યના પુત્ર શ્રી ડેરભટ્ટ હતેા, જેનું, મસ્તક, ભક્તિથી નમ્ર અવથવા વડેપ્રણામ કરવાને સમયે, વિષ્ણુના પાકમળમાંથી નીકળેલી ગંગા જેવી, પાતાના પિતાના ચરણકમળમાંથી નીકળેલી અત્યન્ત શ્વેત નખમણિપ્રભા વડે હમ્મેશાં નિર્મલ ખનતું હતું; જે રાષિં અગત્યની માફ્ક દક્ષિવૃત્તિ રાખતા, પોતાના અત્યન્ત ધવલ દિશાસુંદરીઓને શણગારતા, જે આકાશમાં નિશાનાથના અખંડ બિખનું અનુકરણ કરતા, મેઘ વડે શ્યામ થયેલાં શિખરા રૂપી ડીટીએવાળાં સહ્ય અને ત્રિય રૂપી રુચિર સ્તનયુગવાળી પૃથ્વીના જે પતિ હતેા; એવા,
યશના વલય વડે
પં. ૩૬ શ્રી રભટ્ટના પુત્ર, જેણે અનુરાગવાળી, શુભ્ર યશરૂપી વસ્ત્ર પહેરનારી, સ્વયંવરમાલાની માફક રાજ્યશ્રો અર્પનારી, નૃપમંડીનેા પરિગ્રહ કર્યાં છે; પેાતાના અપ્રતિહત, અને પ્રચંડ પુના મંડલને નમાવનાર, ખડ્ગ જેવા શૌર્યને જ અવલખીને જેણે શરદ્દ ઋતુમાં ધનુષ્ય વડે ખેંચેલા ખાણુથી જ શત્રુભૂમિનું પ્રસાધન કરીને વિધિસર કરગ્રતુણ કર્યું છે; વિવિધવાઁથી ઉજજવલ ઉત્તમ જ્ઞાન વડે પ્રથમથી જ વિભૂષિત થયેલાં જેનાં શ્રેાત્ર પુનરુક્તિ પામતા રત્નાલંકાર વડે ફરીથી અલંકૃત થયેલાં છે; જેના હસ્તનું અગ્ર કડાંની ઉપર રહેલાં રત્નેાનાં કિરણાથી વ્યાપ્ત છે અને પ્રદાનજળનો છંટકાવથી વિલસતા તાજા શૈવલ અંકુર જેવું છે; વિશાલ રત્નવલયને ધારણ કરી રહેલા અને એથી સમુદ્રના તટ જેવા અનતા ભુજ વડે જેણે વિશ્ર્વભરાને ભીડી લીધી છે; એવા, શ્રી ગુરભટ્ટને
પં.૪૧ પુત્ર પરમમાહેશ્વર શ્રી ધ્રુવસેન, કુશલયુક્ત, સર્વને આજ્ઞા કરે છે; તમારે જાણવું જેઃ મેં માતાપિતાના પુણ્યવિસ્તારને અર્થે, મહિકમાંથી આવેલા, મહિકમાં રહેનારા ચાતુર્વેદિ આમાંના એક, કૌશિકસગેાત્ર, વાજસનેયસબ્રહ્મચારી, બ્રાહ્મણ અલ્પના પુત્ર ટ્ટિભટને શિવભાગપુર પ્રાન્તમાં દક્ષિણુપાટમાં આવેલું પટ્ટપક ગ્રામ, ઉદ્દંગ, ઉરેકર અને ભૂતવાતપ્રત્યાય સહિત, ધાન્ય અને સુવર્ણ સાથે, દંડ અને દશાવરાધના હક્ક સહિત, પ્રસંગે ઉપજતી વેઠ સહિત કાઈ પણ રાજ્યાધિકારી જેમાં હાથ નાંખી શકે નહિં એવું, પૂર્વે બાહ્મણને કે દેવમંદિરને અપાચેલા દાન શિવાયનું, ભૂમિચ્છિદ્રન્યાયે, જ્યાંસુધી ચન્દ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદી અને પર્વત ટકે ત્યાંસુધી પુત્ર-પૌત્રાદિક વંશજને ભાગવવાનું, ઉદક અંજલિ મૂકીને ધર્મઢાય તરીકે આપ્યું છે, જેથી, બ્રાહ્મણને અપાતા અગ્રહારની રીતે, અને ભેગવતાં, ખેડતાં, ખેલવતાં કે માંડી આપતાં કાઇએ વિગ્ન કરવું નહિં. અને હવે પછી થનારા, અમારા વંશજ કે અન્ય, રાજાએાએ, ઐશ્વર્ય અનિત્ય છે, મનુષ્ય અસ્થિર છે. અને ભૂમિદાનનું કુલ મધાને સામાન્ય છે એવું સમજીને આ દાનને માન્ય રાખવું અને એનું પાલન કરવું.
પં. ૪૮ કહ્યું છે કે "દુમિવસુધા ગુહા ઇત્યાદિ—
૫. ૪૯
...
અહિંયાં તક પ્રમાતૃશ્રીનાગ છે, સંધિવિગ્રહાધિકારી દ્વિવિપતિ શ્રી સ્કન્દભટ્ટના પુત્ર ક્રિવિ૨પતિ શ્રીમદનહિલે આ લખ્યું છે. સં ૩૩૪ માઘ શુ. હું મારા ત્રસ્ત ( ઇકત ) છે.
...
૧ આ શબ્દોમાં અને વ.કયામાં રહેલા સેષ પ્રકટ છે. •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394