________________
નિં. ૨૮ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો
[ ગુપ્ત ] સંવત ૨૧૭ આધિન વદ ૧૩ જે બે પતરાં ઉપરથી આ અક્ષરા-તર કરવામાં આવ્યું છે તે ડો. બરજેસે છે બુલરને પ્રસિદ્ધ કરવા માટે આપ્યાં હતાં અને તેણે મને આપ્યાં હતાં. અત્યારે તે બ્રિટિશ મ્યુઝીયમમાં છે. તેમાં વલભી રાજા ધ્રુવસેન ૧ લાનું ગુ. સ. ૨૧૭ આશ્વિન વ. ૧૩( ઈ. સ. ૫૩૬-૩૭)નું દાન લખેલું છે.
પતરાંઓ બહુ સુરક્ષિત નથી. પહેલા પતરાની ઉપરની કેર અને નીચેના ભાગમાં ડાબી બાજુના ખૂણાને ભાગ તૂટેલાં છે અને બીજા પતરાની જમણી બાજુ પણ તેવી જ સ્થિતિમાં છે તેથી શરૂવાતના ભાગમાં જે સ્થળેથી દાન અપાએલું છે તે સ્થળનું નામ નષ્ટ થયું છે. ઉપરાંત અક્ષરોના કેટલાક ભાગ કાળની અસરથી ઘસાઈ ગયા છે અને કેટલાક ઠેકાણે બીલકુલ વંચાતા નથી. તેપણ બીજ દાનપાની સરખામણીથી ઘણા ખરા અક્ષરો મેળવ્યા છે. જો કે દાનમાં અપાએલા ગામનું નામ મળી શકતું નથી. - લેખે આખો ગદ્યમાં છે. જ્યારે છેવટનો અમુક ભાગ શ્લોકમાં છે. કેટલીક લેખકની ભૂલો સિવાય વ્યાકરણ વિગેરે માટે ખાસ તૈધ કરવાલાયક કાંઈ નથી.
શરૂવાતમાં શ્રી સેનાપતિ ભટ્ટાર્કથી માંડીને ધ્રુવસેન ૧ લા સુધીની વંશાવળી, પછી દાનની વિગત અને છેવટમાં દૂતક વિગેરેનાં નામ આપેલ છે.
દાનવિભાગ–રાજબહેન દુહાએ બંધાવેલા વિહારમાં અને બુદ્ધદાસના બંધાવેલા વિહારમાં રહેતા ભિક્ષુ સંઘને દાન આપેલું છે.
દાનમાં આપેલું ગામ વટપ્રજયક છે અને તે જે પરગણામાં આવેલું છે તેનું નામ વંચાતું નથી. બે વિહાર પૈકીને પહેલો બીજા ઘણાં દાનપત્રોમાં આવે છે પણ બીજે વિહાર તદન ન છે. હ્યુએન સેગે વર્ણવેલા ૧૦૦ સંઘારામો પૈકીને આ એક હોય એમ સંભવિત છે. ધ્રુવસેન પિતે શિવધર્મી હોવા છતાં બુદ્ધધર્મ માટે આપેલું આ દાન ખાસ ધ્યાન ખેચનારું છે; કારણ તેથી તેની ધર્મ સહિષ્ણુતાનું ભાન આવે છે. તેમ જ શૈવ રાજાની બહેન દુહુ બદ્ધમાં હતી તે પણ ઉપયોગી હકીક્ત છે. ગુહસેન પ્રથમ પિતાને પરમમાહેશ્વર લખે છે અને પાછળથી પરમેપાસક લખેલ છે. તેથી કદાચ પાછળથી બુદ્ધધર્મમાં આપે હોય એ સંભવ છે. ઉપરાંત ૬ ઠી અને સાતમી શતાખીમાં બુદ્ધધર્મનું બળ આનાથી પુરવાર થાય છે અને આ મધ્યકાલના રાજાઓ પણ અશક અને અકબરની માફક ધર્મધ ન હતા, એમ પણ સાબીત થાય છે.
* જ. ર. એ. સ. ઈ. સ. ૧૮૯૫ પા. ૩૭૯ છે. ટી
બ્લોગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com