________________
धरसेन २ जानां ताम्रपत्रो
“ભાષાન્તર ” ભદ્વપત્તનકમાં છાવણી નાંખી રહેલી વિજયી સેનામાંથી, મહારાજ ધરસેન, જેણે પોતાના પિતાના પાનખમાંથી નિકળતાં કિરણરૂપી ગંગાપ્રવાહ વડે પોતાનાં બધાં પાપ ધોઈ નાખ્યાં છે. જે પોતાના સૌંદર્યથી જાણે ખેંચાઈ આવ્યા ન હોય તેવા સઘળા સદગુણો વડે સંપન્ન છે, જેની લક્ષમીનો પ્રભાવ પોતાના અસંખ્ય મિત્રોનો આરામ થઈ રહ્યો છે. જે પે કુદરતી બળ તથા ચાતુર્ય વડે ધનુર્વિદ્યામાં કુશળ એવા સઘળાને આશ્ચર્ય પમાડ્યા છે, જે પ્રથમના રાજાઓનાં સારાં ધામક દાને ચાલુ રાખે છે, ને પોતાની પ્રજાને પીડા કરતી દરેક ઉપાધિ દૂર કરે છે, જેનામાં શ્રી અને સરસ્વતી અને વાસ છે, જે શત્રુઓની લમીનો હોશિયારીથી ઉપભોગ કરે છે, જેને રાજ્યપદ સીધી રીતે પ્રાપ્ત થયું છે, અને જે કાંકરને મહાન ભક્ત છે અને જે મહારાજ શ્રીરાહસેનના પુત્ર હતા, જેણે (ગુહસેને) પોતાના પિતાના પાદસેવનથી આધ્યાત્મિક કલની પ્રાપ્તિ કરી હતી, જેણે પોતાની બાલ્યાવસ્થાથી જ ફક્ત એક તલવારની જ મદદથી શત્રુઓના મદાંધ ગજેનાં મસ્તક ભેદી અપૂર્વ શૌર્યની નિશાનીઓ બતાવી હતી, જેના ડાબા પાદનખન કિરણે પોતાની સત્તાને નમવા ફરજ પાડેલા શત્રુઓના મુગટનાં જવાહિરોના તેજ સાથે મળેલાં હતાં, જે સ્મૃતિઓના બધા આદેશ પ્રમાણે વર્તન કરી, પિતાની પ્રજાનાં હૃદયેને રંજન કરવા રાજા નામ ધારણ કરવાને સંપૂર્ણ રીતે લાયક હતું, જે સૌદર્યમાં કામદેવથી, શેભામાં ચન્દ્રથી, ર્યમાં હિમાલયથી, ગભીરતામાં સમુદ્રથી, જ્ઞાનમાં બહસ્પતિથી અને લમીમાં કુબેરથી પણ અધિક હતા, જે શરણાગતને રક્ષણ આપતો, અને એટલા માટે જે પોતાનું સર્વસ્વ એક તૃણવત્ સમજી આપી દેતે, જે વિદ્વાનોને તેઓની મહેનત બદલ માગવા કરતાં પણ વધારે આપી તેમનાં હૃદયને ખુશ કરતો, જે જાણે સમસ્ત જગને સાક્ષાત આનંદ જ હોય તે હતો, જે શંકરને મહાન ભક્ત હતો, અને જે શ્રી મહારાજ ધરપટ્ટને પુત્ર હતો, જેણે (ધરપટ્ટ) તેને પ્રણામ કરી પિતાના સર્વ પાપો ધોઈ નાખ્યાં હતાં, જેણે પિતાના સુચરિતથી કલિ સાથે આવેલી બધી દુષ્ટતા ધોઈ નાંખી હતી, જેની કીર્તિ શત્રુઓને પરાજય કરવાથી સર્વત્ર પ્રસરી હતી, જે સૂર્યને મહાન ભક્ત હતો, અને જે મહારાજ શ્રી ધ્રુવસેનને ન્હાનો ભાઈ હતું જેણે (ધ્રુવસેન) પિતાના બાહુબળ વડે શત્રુઓના અસંખ્ય હાથીઓનાં ટેળાંઓ પર વિજય મેળવ્યો હતો, જે શરણાગતનું રક્ષણ કરતા હતા, જે ધર્મમાં નિપુણ હતો, જે મિત્રો અને સંબંધીઓની ઈચ્છાઓ પાર પાડવાને લીધે કલ્પતરૂ સમાન હતો, જે ભગવાનને મહાન ભક્ત હતો, અને જે સિંહસમાન મહારાજ શ્રી દ્રાણસિંહને ખ્યાને ભાઈ હતું જેના (કણસંહના) મુગટનું મણિ પોતાના બંધુને નમન કરવાથી પવિત્ર થયું હતું, જે મનુ વગેરેના આદેશનું પાલન એજ ધર્મ માનતો હતો, જે સાક્ષાત ધર્મ જ હતું, જેણે નમ્રતા અને ફરજના નિયમે કર્યા હતા, જેને રાજ્યાભિષેક પરમસ્વામિએ પોતે કર્યો હતો, જેની રાજ્યલક્ષમી ધાર્મિક દાનાને લીધે પવિત્ર થઈ હતી, જે શંકરને પરમ ભક્ત હતા, અને જે શ્રી સેનાપતિ ધરસેનને હાનો ભાઈ હતો, જેનું (ધરસેનનું) મસ્તક પિતાના પિતાને નમઃ વાથી તેની ચરણરજથી લાલ થયું હતું, જેના પગના નખોનું તેજ શત્રુઓનાં નમેલાં મસ્તકેના મુગટનાં રત્નના તેજમાં ભળવાથી વૃદ્ધિગત થતું હતું, જેના તેજને લીધે ગરીબ, નિરાધાર અને દુઃખી લોકો પોતાનું જીવન ટકાવી શકતા હતા, જે શંકરને મહાન ભક્ત હતા, અને જે શ્રી સેનાપતિ ભટ્ટારકને પુત્ર હતું, જેણે (ભટ્ટારકે) પોતાના અસંખ્ય મિત્રોના મોટાં લશ્કર વડે શત્રુઓને નમાવી કીર્તિ મેળવી હતી, જે પોતાના બળ વડે મેળવેલાં કોમળતા, માન અને દયાળુપણાનાં સુખ ભગવતે હતો, જેણે વંશપરંપરાના સેવકોનાં બળ વડે રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી, અને જે શંકરને પરમ ભક્ત હતા, તે ધરસેન કુશળ હાઈને પોતાની સર્વ પ્રજા, સેવકો, દ્રાર્ષિક (૧) મહત્તર, ચાટભટ, ધ્રુવાધિકરણિકા, દડપાશિક, મંત્રિઓ, રાજકુમારો, અને આ રાજ્યમાં રહેતા લોકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com