________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ
થઈ ગયો. જાગીને જુએ છે તો નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામર છત્ર ધરનારા કે નથી તે છડીદારે, નથી તે સ્ત્રીઓનાં વૃદ કે નથી તે વસ્ત્રાલંકારે, નથી તે પંખા કે નથી તે પવન, નથી તે અનુચરે કે નથી તે આજ્ઞા, નથી તે સુખવિલાસ કે નથી તે મદેન્મત્તતા, જુએ છે તે જે સ્થળે પાણીને વૃદ્ધ ઘડે પડ્યો હતો તે જ સ્થળે તે પડયો છે. જે સ્થળે ફાટી તૂટી ગાદડી પડી હતી તે સ્થળે તે ફાટતૂટી ગોદડી પડી છે. ભાઈ તે જેવા હતા તેવા ને તેવા દેખાયા. પિતે જેવાં મલિન અને અનેક જાળી–ગોખવાળાં વસ્ત્ર ધારણ કર્યા હતાં તેવાં ને તેવાં તે જ વ શરીર ઉપર વિરાજે છે. નથી તલભાર ઘટયું કે નથી જવભાર વધ્યું. એ સઘળું જોઈને તે અતિ શેક પાપે. જે સુખાડંબરવડે મેં આનંદ માન્ય તે સુખમાંનું તો અહીં કશું નથી. અરેરે ! મેં સ્વપ્નના ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. બિચારે તે ભિખારી એમ ગ્લાનિમાં આવી પડ્યો. તે પ્રમાણુ શિક્ષા –સ્વપ્નપ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા, ભોગવ્યા અને આનંદ માન્ય, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત સુખસમુદાયને મહાનંદરૂપ માની બેઠા છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિસ્યા જણાયા, તેમ તત્ત્વજ્ઞાનરૂપી જાગૃતિવડે સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નને ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શેકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્ય સંસારમાં સુખ માની બેસે છે, અને ભોગવ્યા તુલ્ય ગણે છે, પણ તે
For Private And Personal Use Only