________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેાક્ષમાળા
૧૪૯
રાજાને તેનાં ચારનાં લક્ષણુ ભાસ્યાં નહીં. એથી તેને સઘળુ વૃત્તાંત પૂછ્યું. ચંદ્રના પ્રકાશને સૂર્ય સમાન ગણનારની ભદ્રિકતાપર રાજાને દયા આવી. તેની દરિદ્રતા ટાળવા રાજાની ઈચ્છા થઈ. એથી કપિલને કહ્યું. આશીર્વાદને માટે થઈ તારે જે એટલી બધી તરખડ થઈ પડી છે, તેા હવે તારી ઈચ્છા પૂરતું તું માગી લે; હું તને આપીશ. કપિલ થેડીવાર મૂઢ જેવા રહ્યો. એથી રાજાએ કહ્યું, કેમ વિપ્ર, ક'ઈ માગતા નથી ? કપિલે ઉત્તર આપ્યા; મારું મન હજી સ્થિર થયું નથી; એટલે શું માગવું તે સૂઝતું નથી. રાજાએ સામેના બાગમાં જઈ ત્યાં બેસીને સ્વસ્થતા પૂર્વક વિચાર કરી કપિલને માગવાનું કહ્યું. એટલે કપિલ તે બાગમાં જઇને વિચાર કરવા બેઠા.
શિક્ષાપાઠ ૪૮. કપિલમુનિ, ભાગ ૩:—
એ માસા સેનું લેવાની ઇચ્છા હતી તે કપિલ હવે તૃષ્ણાતરંગમાં ઘસડાયેા. પાંચ મહેાર માગવાની ઈચ્છા કરી તા . ત્યાં વિચાર આવ્યા કે પાંચથી કાંઈ પૂરું થનાર નથી માટે પચવીશ મહેાર માગવી. એ વિચાર પણ કર્યાં. પંચવીશ મહેારથી કઈ આખું વર્ષ ઊતરાય. નહીં માટે સેા મહેાર માગવી. ત્યાં વળી વિચાર ફર્યાં. સા મહેારે એ વર્ષોં ઊતરી, વૈભવ ભાગવી, પાછાં દુઃખનાં દુઃખ માટે એક હજાર મહેારની યાચના કરવી ઠીક છે; પણ એક હજાર મહેારે છેાકરાં છૈયાંનાં એ ચાર ખર્ચ આવે કે એવું થાય તે પૂરું પણ શું થાય ? માટે દશ હજાર મહેાર માગવી કે જેથી જિંદગી પર્યંત પણ ચિંતા
For Private And Personal Use Only