________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
મોક્ષમાળા પુષ્કળ મને વાંચવાથી એ પણ અપૂર્ણ અને એકાંતિક જણાઈ આવશે.”
જે પૂર્ણ દર્શન વિષે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નીરાગીનાં સ્થાપન કરેલાં દર્શન વિષે છે. એના બોધદાતા સર્વજ્ઞ અને સર્વદશી હતા. કાળભેદ છે તો પણ એ વાત સિદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક વૈરાગ્ય જ્ઞાન ક્રિયાદિ એનાં જેવાં પૂર્ણ એકકે એ વર્ણવ્યાં નથી. તેની સાથે શુદ્ધઆત્મ જ્ઞાન, તેની કોટિઓ, જીવનાં ઓવન, જન્મ, ગતિ વિગતિ, નિદ્વાર, પ્રદેશ,કાળ, તેનાં સ્વરૂપ એ વિષે એવો સૂક્ષ્મ બેધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશંકતા થાય. કાળભેદે પરમ્પરાસ્નાયથી કેવળજ્ઞાનાદિ જ્ઞાને જોવામાં નથી આવતાં છતાં જે જે જિનેશ્વરનાં રહેલાં સિદ્ધાંતિક વચને છે તે અખંડ છે. તેઓના કેટલાક સિદ્ધાંતો એવા સૂક્ષમ છે કે, જે એકેક વિચારતાં આખી જિંદગી વહી જાય તેવું છે આગળ ઉપર કેટલુંક એ સંબધી કહેવાનું છે. - જિનેશ્વરનાં કહેલાં ધર્મતત્વથી કઈ પણ પ્રાણીને લેશ ખેદ ઉત્પન્ન થતું નથી. સર્વ આત્માની રક્ષા અને સર્વોત્તમ શક્તિને પ્રકાશ એમાં રહ્યો છે. એ ભેદે વાંચવાથી, સમજવાથી અને તે પર અતિ અતિ સૂક્ષ્મ વિચાર કરવાથી આત્મશક્તિ પ્રકાશ પામી જૈનદર્શનની સર્વજ્ઞતાની સર્વોત્કૃષ્ટ પણાની હા કહેવરાવે છે. બહુ મનનથી સર્વ ધમમત જાણી પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે.
એ સર્વજ્ઞ દર્શનનાં મૂળત અને બીજા મતના મૂળત વિષે અહીં વિશેષ કહી શકાય તેટલી જગ્યા નથી.
For Private And Personal Use Only