Book Title: Bhavna Bodh Mokshmala
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 258
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૨ મેક્ષમાળા જંતુને વિનાશ, બ્રહ્મચર્યને ભંગ એની સૂક્ષમતા તેઓના જાણવામાં નથી. તેમજ માંસાદિક અભક્ષ્ય અને સુખશીલિયાં સાધનેથી બૌદ્ધમુનિઓ યુક્ત છે. જૈન મુનિઓ તે કેવળ એથી વિરક્ત જ છે. શિક્ષાપાઠ ૧૦૬. વિવિધ પ્રશ્નો, ભાગ – પ્ર–વેદ અને જૈન દર્શનને પ્રતિપક્ષતા ખરી કે? ઉ–જેનને કંઈ અસમંજસભાવે પ્રતિપક્ષતા નથી; પરંતુ સત્યથી અસત્ય પ્રતિપક્ષી ગણાય છે, તેમ જૈન દર્શનથી વેદને સંબંધ છે. પ્ર–એ બેમાં સત્યરૂપ તમે કેને કહે છે? ઉ–પવિત્ર જેનદશનને. પ્ર–વેદ દર્શનીઓ વેદને કહે છે તેનું કેમ? ઉ૦–એ તે મતભેદ અને જેનના તિરસ્કાર માટે છે. પરંતુ ન્યાયપૂર્વક બનેનાં મૂળતત્વે આપ જોઈ જજે. પ્ર–આટલું તે મને લાગે છે કે મહાવીરાદિક જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે; પરંતુ જગકર્તાની તેઓ ના કહે છે, અને જગત અનાદિ અનંત છે એમ કહે છે તે વિષે કંઈ કંઈ શંકા થાય છે કે આ અસંખ્યાત દ્વીપસમુદ્રયુક્ત જગત વગર બનાવ્યું ક્યાંથી હોય? ઉ૦–આપને જ્યાં સુધી આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી ત્યાં સુધી એમ લાગે છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261