Book Title: Bhavna Bodh Mokshmala
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 247
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૨૩ કંઈ નિમિત્ત નથી એવા પુરુષનાં કહેલાં પવિત્રદર્શનને પોતે તે જાણ્યું નહીં, પિતાના આત્માનું હિત તો કર્યું નહીં, પણ અવિવેકથી મતભેદમાં આવી જઈ કેવળ નિર્દોષ અને પવિત્ર દર્શનને નાસ્તિક શા માટે કહ્યું હશે? યદિ હું સમજું છું કે એ કહેનારા એનાં તત્વને જાણતા નહતા. વળી એના તત્વને જાણવાથી પિતાની શ્રદ્ધા ફરશે, ત્યારે લેકે પછી પિતાના આગળ કહેલા મતને ગાંઠશે નહીં. જે લૌકિક મતમાં પિતાની આજીવિકા રહી છે, એવા વેદોની મહત્તા ઘટાડવાથી પિતાની મહત્તા ઘટશે; પિતાનું મિથ્થા સ્થાપિત કરેલું પરમેશ્વરપદ ચાલશે નહીં, એથી જૈનતત્વમાં પ્રવેશ કરવાની રુચિને મૂળથી બંધ કરવા લોકોને એવી ભ્રમભૂરકી આપી કે જેન નાસ્તિક છે. લેકે તે બિચારા ગભરુગાડર છે; એટલે પછી વિચાર પણ ક્યાંથી કરે? એ કહેવું કેટલું અનર્થકારક અને મૃષા છે તે જેણે વીતરાગપ્રણીત સિદ્ધાંતે વિવેકથી જાણ્યા છે, તે જાણે, મારું કહેવું મંદબુદ્ધિ વખતે પક્ષપાતમાં લઈ જાય. શિક્ષાપાઠ ૯૭. તરવાવબોધ, ભાગ ૧૬:– પવિત્ર જૈન દર્શનને નાસ્તિક કહેવરાવવામાં તેઓ એક દલીલથી મિથ્યા ફાવવા ઈચ્છે છે, કે જેનદર્શન યા જગના કર્તા પરમેશ્વરને માનતું નથી, અને જે પરમેશ્વરને નથી માનતા તે તે નાસ્તિક જ છે. આ વાત ભદ્રિકજનેને શીવ્ર ચંટી રહે છે. કારણ તેઓમાં યથાર્થ વિચાર કરવાની પ્રેરણા નથી. પણ જો એ ઉપરથી એમ વિચારવામાં આવે કે જેને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261