Book Title: Bhavna Bodh Mokshmala
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 252
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ મેક્ષમાળા અષ્ટાદશ પાપસ્થાનક ત્યાંસુધી ક્ષય થવાનાં નથી કે જ્યાં સુધી આ અષ્ટાદશ વિધ્રથી મનને સંબંધ છે. આ અષ્ટાદશ દેષ જવાથી મને નિગ્રહતા અને ધારેલી સિદ્ધિ થઈ શકે છે. એ દોષ જ્યાં સુધી મનથી નિકટતા ધરાવે છે ત્યાં સુધી કેઈપણ મનુષ્ય આત્મસાર્થક કરવાનું નથી. અતિ ભેગને સ્થળે સામાન્ય ભગ નહીં, પણ કેવળ ભેગત્યાગવત જેણે ધર્યું છે, તેમજ એ એક્કે દેશનું મૂળ જેના હૃદયમાં નથી તે પુરુષ મહભાગી છે. ----------- શિક્ષાપાઠ ૧૦૧. સ્મૃતિમાં રાખવાગ્યે મહાવાકયો: ૧. એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. ૨. જે મનુષ્ય સત્યુનાં ચરિત્રરહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. ૩. ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. ૪. ઝાઝાને મેળાપ અને ચેડા સાથે અતિ સમાગમ એ અને સમાન દુઃખદાયક છે. ૫. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. ૬. ઇંદ્રિયે તમને જીતે અને સુખ માને તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશે. ૭. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. ૮. યુવાવયને સર્વસંગપરિત્યાગ પરમપદને આપે છે. ૯. તે વસ્તુના વિચારમાં પહોંચે કે જે વસ્તુ અતીન્દ્રિય સ્વરૂપ છે. ૧૦. ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261