________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૧૭૩ શિક્ષાપાઠ ૬૧. સુખ વિષે વિચાર, ભાગ ૧ :–
એક બ્રાહ્મણ દરિદ્રાવસ્થાથી કરીને બહુ પીડાતે હતો. તેણે કંટાળીને છેવટે દેવનું ઉપાસના કરી લક્ષ્મી મેળવવાનો નિશ્ચય કર્યો. પિતે વિદ્વાન હોવાથી ઉપાસના કરવા પહેલાં વિચાર કર્યો કે કદાપિ દેવ તે કઈ તુષ્ટમાન થશે; પણ પછી તે આગળ સુખ કયું માગવું ? તપ કરી પછી માગવામાં કંઈ સૂજે નહીં, અથવા જૂનાધિક સૂજે તે કરેલે તપ પણ નિરર્થક જાય; માટે એક વખત આખા દેશમાં પ્રવાસ કરે. સંસારના મહપુરુષનાં ધામ, વૈભવ અને સુખ જેવાં. એમ નિશ્ચય કરી તે પ્રવાસમાં નીકળી પડ્યો. ભારતનાં જે જે રમણીય અને રિદ્ધિમાન શહેરો હતાં તે જોયાં. યુક્તિપ્રયુક્તિઓ રાજાધિરાજનાં અંતઃપુર, સુખ અને વૈભવ જોયાં. શ્રીમંતના આવાસ, વહીવટ, બાગબગીચા અને કુટુંબ પરિવાર જોયા; પણ એથી તેનું કઈ રીતે મન માન્યું નહીં. કેઈને સ્ત્રીનું દુઃખ, કેઈને પતિનું દુઃખ, કોઈને અજ્ઞાનથી દુઃખ, કોઈને વહાલાંના વિયોગનું દુઃખ, કેઈને નિર્ધનતાનું દુઃખ, કેઈને લક્ષમીની ઉપાધિનું દુઃખ, કેઈને શરીરસંબંધી દુઃખ, કોઈને પુત્રનું દુઃખ, કેઈને શત્રુનું દુઃખ, કેઈને જડતાનું દુઃખ, કેઈને માબાપનું દુઃખ, કેઈને વૈધવ્ય દુઃખ, કઈને કુટુંબનું દુઃખ, કોઈને પોતાના નીચ કુળનું દુઃખ, કેઈને પ્રીતિનું દુઃખ,. કેઈને ઈર્ષ્યાનું દુખ, કોઈને હાનિનું દુઃખ, એમ એક બે વિશેષ કે બધાં દુઃખ સ્થળે સ્થળે તે વિપ્રના જોવામાં આવ્યાં. એથી કરીને એનું મન કેઈ સ્થળે માન્યું નહીં; જ્યાં જુએ ત્યાં દુઃખ તે ખરું જ. કેઈ સ્થળે સંપૂર્ણ સુખ તેના જોવામાં
For Private And Personal Use Only