________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૧૭૫ શિક્ષાપાઠ ૬૨. સુખ વિષે વિચાર, ભાગ ૨ –
કેવાં એનાં સુંદર ઘર છે! તેની સ્વચ્છતા અને જાળવણી કેવી સુંદર છે ! કેવી શાણું અને મને જ્ઞા તેની સુશીલ સ્ત્રી છે ! તેના કેવા કાંતિમાન અને કહ્યાગરા પુત્ર છે ! કેવું સંપીલું તેનું કુટુંબ છે ! લક્ષ્મીની મહેર પણ એને ત્યાં કેવી છે ! આખા ભારતમાં એના જેવો બીજે કઈ સુખી નથી. હવે તપ કરીને જે હું મારું તે આ મહાધનાઢય જેવું જ સઘળું માગું, બીજી ચાહના કરું નહીં.
દિવસ વીતી ગયો અને રાત્રિ થઈ. સૂવાનો વખત થયે. ધનાઢય અને બ્રાહ્મણ એકાંતમાં બેઠા હતા; પછી ધનાઢયે વિપ્રને આગમન કારણ કહેવા વિનંતિ કરી. '
વિપ્ર–હું ઘેરથી એવો વિચાર કરી નીકળે હતો કે બધાથી વધારે સુખી કેણ છે તે જોવું; અને તપ કરીને પછી એના જેવું સુખ સંપાદન કરવું. આખા ભારત અને તેનાં સઘળાં રમણીય સ્થળો જોયાંપરંતુ કઈ રાજાધિરાજને ત્યાં પણ મને સંપૂર્ણ સુખ જોવામાં આવ્યું નહીં. જ્યાં જોયું ત્યાં આધિ, વ્યાધિ અને ઉપાધિ જોવામાં આવી. આ ભણી આવતાં આપની પ્રશંસા સાંભળી, એટલે હું અહીં આવ્યું અને સંતોષ પણ પામે. આપના જેવી રિદ્ધિ, સપુત્ર, કમાઈ, સ્ત્રી, કુટુંબ, ઘર વગેરે મારા જેવામાં ક્યાંય આવ્યું નથી. આપ પોતે પણ ધર્મશીલ, સદ્ગુણ અને જિનેશ્વરના ઉત્તમ ઉપાસક છે. એથી હું એમ માનું છું કે આપના જેવું સુખ બીજે નથી. ભારતમાં આપ વિશેષ સુખી છે. ઉપાસના કરીને
For Private And Personal Use Only