Book Title: Bhavna Bodh Mokshmala
Author(s): Shrimad Rajchandra,
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
મેાક્ષમાળા
ધૃ વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષા મલિન કહેવાશે. આત્મિકજ્ઞાનના ભેદો હણાતા જશે; હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાનક્રિયા બહુધા સેવાશે; વ્યાકુળ વિષયાનાં સાધના વધતાં જશે. એકાંતિક પક્ષે સત્તા ધીશ થશે. શ્રૃંગારથી ધ મનાશે.
ખરા ક્ષત્રિયા વિના ભૂમિ શેકગ્રસ્ત થશે. નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિલાસમાં મેહ પામશે. ધમ, કમ અને ખરી રાજનીતિ ભૂલી જશે; અન્યાયને જન્મ આપશે; જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂટશે. પેાતે પાપિષ્ઠ આચરણેા સેવી પ્રજા આગળ તે પળાવતા જશે. રાજબીજને નામે શૂન્યતા આવતી જશે. નીચ મંત્રીએની મહત્તા વધતી જશે. એએ દીન પ્રજાને ચૂસીને ભડાર ભરવાના રાજાને ઉપદેશ આપશે. શિયળભ’ગ કરવાના ધમ રાજાને અંગીકાર કરાવશે. શૌર્યો. દ્વિક સદ્ગુણ્ણાને નાશ કરાવશે. મૃગયાદિક પાપમાં અંધ બનાવશે. રાજ્યાધિકારીએ પેાતાના અધિકારથી હજારગુણી અહુંપદતા રાખશે. વિપ્રેા લાલચુ અને લેાલી થઈ જશે. સદ્વિદ્યાને દાટી દેશે; સંસારી સાધનાને ધર્મ ઠરાવશે. વૈશ્યા માયાવી, કેવળ સ્વાર્થી અને કઠેર હૃદયના થતા જશે. સમગ્ર મનુષ્યવની સવૃત્તિએ ઘટતી જશે. અકૃત અને ભયંકર કૃત્યા કરતાં તેઓની વૃત્તિ અટકશે નહીં. વિવેક, વિનય, સરળતા ઇત્યાદિ સદ્ગુણૢા ઘટતા જશે. અનુકંપાને નામે હીનતા થશે. માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે; પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે; પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીએ ઘટી જશે. સ્નાનથી પવિત્રતા ગણાશે; ધનથી ઉત્તમકુળ ગણાશે. ગુરુથી
For Private And Personal Use Only

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261