________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૨૧૩ શિક્ષાપાઠ ૮૩. તવાવબેધ, ભાગ ૨:––
સર્વજ્ઞ ભગવાને કાલેકના સંપૂર્ણ ભાવ જાણ્યા અને જોયા. તેને ઉપદેશ ભવ્ય લોકોને કર્યો. ભગવાને અનંત જ્ઞાનવડે કરીને કાલેકનાં સ્વરૂપ વિષેના અનંતભેદ જાણ્યા હતા પરંતુ સામાન્ય માનવીઓને ઉપદેશથી શ્રેણિએ ચઢવા મુખ્ય દેખાતા નવ પદાર્થ તેઓએ દર્શાવ્યા. એથી લેકાલેકના સર્વ ભાવને એમાં સમાવેશ આવી જાય છે. નિર્ગથપ્રવચનને જે જે સૂક્ષ્મ બોધ છે, તે તત્વની દષ્ટિએ નવતત્વમાં સમાઈ જાય છે; તેમજ સઘળા ધર્મના સૂક્ષ્મ વિચાર એ નવતત્ત્વવિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. આત્માની જે અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અહંત ભગવાનને પવિત્ર બંધ છે. એ અનંત શક્તિઓ ત્યારે પ્રફુલ્લિત થઈ શકે કે જ્યારે નવતત્વ વિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય.
સૂક્ષ્મ દ્વાદશાંગી જ્ઞાન પણ એ નવતત્વ સ્વરૂપ જ્ઞાનને સહાયરૂપ છે. ભિન્ન ભિન્ન પ્રકારે એ નવતત્વ સ્વરૂપ જ્ઞાનને બેધ કરે છે; એથી આ નિઃશંક માનવા યંગ્ય છે કે નવતત્ત્વ જેણે અનંત ભાવ ભેદે જાણ્યા તે સર્વજ્ઞ અને સર્વદશી થયે.
એ નવતત્ત્વ ત્રિપદીને ભાવે લેવા યોગ્ય છે; હેય, રેય અને ઉપાદેય. એટલે ત્યાગ કરવા ગ્ય, જાણવા ગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય, એમ ત્રણ ભેદ નવતત્ત્વ સ્વરૂપના વિચારમાં રહેલા છે.
પ્રશ્ન –જે ત્યાગવારૂપ છે તેને જાણીને કરવું શું? જે ગામ ન જવું તેને માર્ગ શામાટે પૂછ?
For Private And Personal Use Only