________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૧૮૯ ૩. આસન–સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં બે ઘડી સુધીમાં બ્રહ્મચારીએ ન બેસવું. એ સ્ત્રીઓની સ્મૃતિનું કારણ છે; એથી વિકારની ઉત્પત્તિ થાય છે; એમ ભગવાને કહ્યું છે.
૪. ઇંદ્રિયનિરીક્ષણ-સ્ત્રીઓનાં અંગોપાંગ બ્રહ્મચારી સાધુએ ન જેવાં; એનાં અમુક અંગ પર દષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે.
પ. કુડયાંતર–ભીંત, કનાત કે ત્રાટાનું અંતર વચમાં હેય ને સ્ત્રીપુરુષ જ્યાં મૈથુન સેવે ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહીં. કારણ શબ્દ, ચેષ્ટાદિક વિકારનાં કારણ છે.
૬. પૂર્વ કીડા–પિતે ગૃહસ્થાવાસમાં ગમે તેવી જાતના શંગારથી વિષયકીડા કરી હોય તેની સ્મૃતિ કરવી નહીં; તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે.
૭. પ્રત–દૂધ, દહીં, ઘૂતાદિ, મધુરા અને ચીકાશ-- વાળા પદાર્થોને બહુધા આહાર ન કર. એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માદ થાય છે અને તેથી કામની ઉત્પત્તિ થાય છે, માટે બ્રહ્મચારીએ તેમ કરવું નહીં.
૮. અતિમાત્રાહાર–પેટ ભરીને આહાર કરે નહીં? અતિમાત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું નહીં એથી પણ, વિકાર વધે છે.
૯૮ વિભૂષણ–સ્નાન, વિલેપન, પુષ્પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહીં. એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય છે.
એમ ભગવંતે નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે.
For Private And Personal Use Only