________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૧૫૫
પામવા આખી રિદ્ધિ આપે તે પણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખાવાથી એક ભવ હારી જવા જેવું છે. એમ તત્વની દૃષ્ટિએ સિદ્ધ છે !
- શિક્ષાપાઠ ૫૧. વિવેક એટલે શું ?:–
લઘુ શિષ્ય–ભગવન! આપ અમને સ્થળે સ્થળે કહેતા આવે છે કે વિવેક એ મહાન શ્રેયસ્કર છે. વિવેક એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાને દીવે છે. વિવેક વડે કરીને ધર્મ ટકે છે. વિવેક નથી ત્યાં ધર્મ નથી તે વિવેક એટલે શું? તે અમને કહો.
ગુરુ-આયુષ્યમને ! સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવાં તેનું નામ વિવેક.
- લઘુ શિષ્ય–સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહેવાનું તે બધાય સમજે છે. ત્યારે મહારાજ ! એઓ ધર્મનું મૂળ પામ્યા કહેવાય?
ગુરુ—તમે જે વાત કહી છે તેનું એક દષ્ટાંત આપ જોઈએ.
લઘુ શિષ્ય–અમે પોતે કડવાને કડવું જ કહીએ છીએ, મધુરાને મધુરું કહીએ છીએ, ઝેરને ઝેર ને અમૃતને અમૃત કહીએ છીએ.
ગુરુ–આયુષ્યમો ! એ બધાં દ્રવ્ય પદાર્થ છે; પરંતુ આત્માને કઈ કડવાશ, કઈ મધુરાશ, કયું ઝેર અને કયું અમૃત છે એ ભાવપદાર્થોની એથી કંઈ પરીક્ષા થઈ શકે ? - લઘુ શિષ્યો–ભગવન! એ સંબંધી તો અમારું લક્ષ પણ નથી.
For Private And Personal Use Only